આગામી 262 દિવસ આ 4 રાશિવાળા માટે રહેશે ગોલ્ડન પીરિયડ, શનિદેવની ચાલ ખોલશે કુબેરનો ખજાનો, બંપર ધનલાભ થશે

Thu, 11 Jul 2024-11:17 am,

શનિ ગ્રહના ગોચરનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડતો હોય છે. હાલ શનિ કુંભ રાશિમાં બિરાજમાન છે અને વક્રી ચાલમાં ગોચર કરી રહ્યા છે. શનિદેવ આગામી વર્ષે પોતાનું રાશિ પરિવર્તન કરશે. ગુરુની મીન રાશિમાં તેઓ પ્રવેશ કરશે. જ્યારે કુંભ રાશિનું સ્વામિત્વ શનિદેવને મળેલું છે. આવનારા 262 દિવસ સુધી શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ કુંભ રાશિમાં જ ગોચર કરવાના છે. ત્યારે આવો જાણીએ શનિની આ ચાલથી આગામી 262 દિવસ સુધી કઈ રાશિવાળાનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે. 

ધનુ રાશિ: શનિદેવનું કુંભ રાશિમાં ગોચર ધનુ રાશિના જાતકો માટે ખુબ જ શુભ રહેવાનું છે. વેપારમાં સફળતા મળશે. વૈવાહિક જીવન પણ સારું રહેશે. આવકમાં વધારો થશે. આ સાથે જ માન સન્માન પણ વધશે. 

મિથુન રાશિ: શનિદેવનું પોતાની જ સ્વરાશિમાં ગોચર કરવાથી મિથુન રાશિવાળને સારો એવો ફાયદો થઈ શકે છે. નોકરીમાં પ્રમોશનના યોગ છે અને આ સાથે જ નવી જોબ મળવાનો સંકેત પણ છે. વેપારમાં કરાયેલી મહેનત રંગ લાવશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. ભાગ્ય તમારા પર મહેરબાન રહેશે. 

કન્યા રાશિ: વર્ષ 2025 સુધી કન્યા રાશિવાળા પર શનિદેવના આશીર્વાદ રહેશે. આ દરમિયાન કરાયલા કામોમાં સફળતા મળશે. વેપાર અને નોકરીયાત લોકો માટે સમય સારો રહેશે. ધનલાભ થવાના યોગ પણ બની રહ્યા છે. 

તુલા રાશિ: શનિદેવની કૃપા આ રાશિના જાતકો પર રહેશે. પૈસાની સ્થિતિ મજબૂત થશે. જીવનમાં રહેલા માનસિક અને શારીરિક પ્રોબ્લમ્સ દૂર થવા લાગશે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન લાગશે. જીવનસાથી સાથે સંબંધમાં મધુરતા આવશે. કોઈ મોટી ઈચ્છા પૂરી થવાની શક્યતા છે. શનિવારના દિવસે ॐ शं शनैश्चराय नमः મંત્રનો જાપ કરો. 

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link