ભૂલથી પણ મોબાઈલને ન કરો આ રીતે ચાર્જ, ગમે ત્યારે બોમ્બની જેમ ફૂટી જશે ફોન!

Tue, 02 Apr 2024-5:22 pm,

ફોનનો ઉપયોગ કરતી વખતે, બેટરી પર વધારાનું દબાણ આવે છે, જે બેટરીની ક્ષમતાને ઘટાડી શકે છે. ફોન વધુ ગરમ થઈ શકે છે, જેને ચાર્જ થવામાં વધુ સમય લાગી શકે છે અને બેટરીને નુકસાન થઈ શકે છે.

રાતોરાત ચાર્જ કરવાથી બેટરી ઓવરચાર્જ થઈ શકે છે, જે બેટરીની ક્ષમતાને ઘટાડી શકે છે. ફોન ગરમ થઈ શકે છે, જે આગનું જોખમ વધારે છે.

બિન-અધિકૃત ચાર્જર એટલેકે ફોનની કંપનીના બદલે બીજી ચીલાચાલુ કંપનીના ચાર્જરથી ફોન ચાર્જ કરવો બની શકે છે જોખમી. જે ફોનને નુકસાન પહોંચાડી શકે છે. બેટરી ગરમ થઈ શકે છે, આગનું જોખમ વધી શકે છે.

મોટાભાગના લોકો તેમના ફોનને સુરક્ષિત રાખવા માટે હેવી અને ખુબ જાડા કવર ઉપયોગ કરે છે. જેના કારણે અંદરની ગરમ હવા બહાર નીકળી શકતી નથી. આના કારણે પણ ફોન બ્લાસ્ટ થઈ શકે છે.

બેટરીને સંપૂર્ણ રીતે ડ્રેઇન થવા દેવી (એટલેકે, બેટરીને સાવ ખાલી થવા દેવી) એ બેટરીના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બેટરીને 20% - 80% ચાર્જ કરવી વધુ સારું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link