ભારતના 10 એવા ખેલાડીઓ જેણે બદલી નાખી ખેલની વ્યાખ્યા, કોઈ ક્રિકેટના ભગવાન તો કોઈ કહેવાયા રફતારના જાદુગર

Mon, 15 Aug 2022-1:49 pm,

ભારતીય ક્રિકેટમાં બે સમય છે BS અને AS બિફોર સની અને આફ્ટર સની. સુનિલ ગાવસ્કરના ટીમમાં આગમન પહેલાં ભારતીયો માત્ર ક્રિકેટ જોઈને ખુશ હતા. સુનિલ ગાવસ્કરના આવ્યા બાદ લોકોની માનસિકતા બદલાઈ, લોકોમાં જીતની આશા સુનિલ ગાવસ્કરની ગેમે જગાવી. માર્ચ 1971માં ગાવસ્કરે ટીમમાં એન્ટ્રી લીધી. અને પોતાની ડેબ્યૂ સીરીઝમાં જ 154.80 રનની એવરેજ સાથે 774 રન ફટકારી દિધા. ગાવસ્કર પહેલાં બેટ્સમેન હતા. જેમણે 10 હજાર રન સ્કોર કર્યા હતા. અને આજે ગાવસ્કરના કારણે ભારત પાસે અનેક એવા ખેલાડીઓ છે, જે દેશ માટે રમવા તૈયાર થયા છે.  

ભારતમાં સચિન તેંડુલકરની જેમ કોઈ પણ વ્યક્તિનું સન્માન અને પ્રેમ નથી મળ્યો. તેમના રેકોર્ડની યાદી આપો એટવી ઓછી છે. દરેક ભારતીય તેમાંથી દરેકને જાણે છે. કોઈ પણ રમતના ઈતિહાસમાં બહુ ઓછા એથ્લેટ્સ જ્યારે રમતા હોય ત્યારે સમગ્ર દેશને સ્થગિત કરી શકે છે. સચિને વારંવાર આવું કર્યું છે. તેમના માટે દેશ પ્રેમની કોઈ સીમા નથી. તેમના માટે લોકોએ ઉપવાસ કર્યા છે, પ્રાર્થના કરી છે અને તેમની માત્ર એક ઝલક મેળવવા માટે લોકોએ માઈલોની મુસાફરી કરી છે. ત્યારે આ ભારતીય ખેલાડીઓના કારણે જ ભારતીય ક્રિકેટ કઈ અલગ લેવલે પહોંચ્યું છે.

જો કોઈ એવી રમત છે, જેમાં ભારતના પ્રદર્શનની દ્રષ્ટિએ ક્રાંતિ થઈ રહી હોય તો તે છે બેડમિન્ટન. પીવી સિંધુ આ ક્રાંતિના નેતા, પ્રેરણા અને ધ્વજવાહક છે. ભારતે 2022માં થોમસ કપ જીત્યો હતો અને મોટાભાગના લોકો માને છે કે આ માત્ર શરૂઆત છે. જ્યારે તેણીએ પોતાની છાપ બનાવી અને મજબૂતીથી આગળ વધી ત્યારે પીવીએ એક લેવલ સેટ કર્યું. સમગ્ર ભારતમાં નાના છોકરાઓ અને છોકરીઓ જેઓ હવે માત્ર ક્રિકેટર કે અભિનેતા બનવાનું સપનું નથી, પરંતુ આગામી પીવી સિંધુ બનવા માંગે છે.  

આજના દિવસ સુધી તમે કોઈ પણ ભારતીયને પુછશો ઈન્ડિયન એથ્લીટ વિશે તો તેમના મોઢે સોથી પહેલું નામ પીટી ઉશા નીકળશે. તેમની સિદ્ધિઓની વિશાળતાને સમજવા માટે તમારે 1980ના દાયકામાં રમતગમતને સમજવી પડશે. આ એવો સમય હતો જ્યારે ક્રિકેટ બોર્ડ પાસે પણ નોંધપાત્ર ભંડોળ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું. ટ્રેક એન્ડ ફિલ્ડને પ્રાથમિકતા ગણવામાં આવતી ન હતી. ભારતીય ટીમોને યોગ્ય ગણવેશ, સાધનસામગ્રી, કોચ, ફિઝિયો વગેરે વિના એથ્લેટિક્સ મીટમાં મોકલવામાં આવતા હતી. મુખ્ય વાત એ હતી કે ભારતીયો માટે વિશ્વ મંચ પર સ્પર્ધા કરવી એ વાજબી લડાઈ ન હતી. છતાં, પી.ટી. ઉષા માત્ર સફળ જ નથી રહી. આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં તેના જેટલા મેડલ કોઈ ભારતીય રમતવીર પાસે નથી.  

મિલ્ખા સિંઘ તેમના સમયથી દાયકાઓ આગળ હતા આવું તમે હળવાશથી કહી શકો. તેમણે 60ના દાયકામાં જે હાંસલ કર્યું તે આજે પણ કોઈ પુરુષ ભારતીય દોડવીર નથી મેળવી શક્યું. આ તે સમય હતો જ્યારે ભારતમાં રમતગમતને મહત્વ આપવામાં આવતું ન હતું. ત્યાં કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું, કોઈ કોચિંગ નહોતું, કોઈ ભંડોળ નહોતું. તે સ્વતંત્ર ભારતમાંથી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના પ્રથમ ગોલ્ડ મેડલિસ્ટ હતા. આપણા દેશ માટે તેમનું યોગદાન હંમેશ માટે આદરવામાં આવશે અને તેમના સુપ્રસિદ્ધ દરજ્જાને આપણા ઇતિહાસમાં સોનેરા અક્ષરમાં લખવામાં આવશે. તેઓ રમતગમતમાં ભારતના ઈતિહાસના આધારસ્તંભોમાંના એક છે.

2012 માં ઓલિમ્પિક બ્રોન્ઝ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 6 ગોલ્ડ સહિત 8 મેડલ, એશિયન ચેમ્પિયનશિપમાં 5 ગોલ્ડ સહિત 7 મેડલ, કોમનવેલ્થ ગેમ્સ 2018માં ગોલ્ડ મેડલ આ છે મેરી કોમ. સ્પોર્ટ્સમાં ભારતે અત્યાર સુધીની સૌથી પ્રભાવશાળી મહિલાઓમાંની એક. તેણીની સફળતાએ ભારતીય બોક્સરોની આગામી પેઢીને પછી તે પુરૂષો હોય કે મહિલા બંનેને પ્રેરણા આપી છે. તેણીના યોગદાન માટે તેણીને અર્જુન એવોર્ડ, પદ્મશ્રી, ખેલ રત્ન, પદ્મ ભૂષણ અને પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા છે.

મેજર ધ્યાનચંદને ઓલ ટાઈમ ગ્રેટેસ્ટ ફીલ્ડ હોકી પ્લેયર માનવામાં આવે છે. તેમણે 1928માં જે શરૂઆત કરી હતી, તે આવનારા દાયકાઓ સુધી ભારતીય હોકીને પ્રભાવિત કરતી રહી. મેદાન પર તેમની નિપુણતા એવી હતી કે નેધરલેન્ડના અધિકારીઓએ તેમની હોકી સ્ટીક તોડી તે જોવા માટે કે અંદર કોઈ ચુંબક તો નથી ને, જે બોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમને હોકી વિઝાર્ડ કહેવામાં આવે છે. અને તેમની મહાનતાના કારણે જ ભારતમાં રમતગમતના સર્વોચ્ચ સન્માનને ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કહેવામાં આવે છે.  

લિએન્ડર પેસની સિદ્ધિઓ એસ્ટ્રોનોમિકલ છે. તે એક વિજેતા છે, જે સાદો અને સરળ છે. તેની કોની સાથે ભાગીદારી કરી તેનાથી કોઈ ફરક પડતો નથી, તે માત્ર જીત્યો અને જીત્યો અને પછી વધુ જીત્યો. તે માર્ટિના નવરાતિલોવા સાથે જીત્યો. જ્યારે તમે એ હકીકત વિશે વિચારો છો કે એકનો જન્મ 1956માં થયો હતો અને બીજો 1980માં થયો હતો, ત્યારે કંઈક કહેવા જેવું રહેતું નથી. પરંતુ લિએન્ડર જ્યારે પોતાના દેશ માટે રમી રહ્યો હતો ત્યારે પોતાનો સર્વશ્રેષ્ઠ આપતો હતો. વિશ્વભરમાં સંખ્યાબંધ ટેનિસ ખેલાડીઓએ તેમની ડેવિસ કપ ફરજોની અવગણના કરી, પણ પેસે આવું નહીં કર્યું. તેમના નામે ડબલ્સમાં સૌથી વધુ ડેવિસ કપ જીતવાનો રેકોર્ડ છે. ભલે તેણે તમામ ગ્રાન્ડસ્લેમ્સમાં જીત મેળવી છે, છતાં પેસ હજી પણ 1996માં ઓલિમ્પિકમાં તેના બ્રોન્ઝ મેડલને અન્ય કોઈ પુરસ્કાર કરતા વધુ મૂલ્યવાન માને છે.

માત્ર એક મહાન 'ભારતીય' ગ્રાન્ડમાસ્ટર જ નહીં, વિશ્વનાથન આનંદ વિશ્વના શ્રેષ્ઠ ચેસ ખેલાડીઓમાંના એક છે. ભારત ધીમે ધીમે શતરંજના મહાન ખેલાડીઓ ઉત્પન્ન કરનારા દેશોમાંનું એક બની રહ્યું છે. સંખ્યાબંધ યુવા ખેલાડીઓ વૈશ્વિક મંચ પર પોતાની ઓળખ બનાવી રહ્યા છે. ત્યારે, વિશ્વનાથન આનંદ આ ચળવળના પિતા છે. ભારતમાં ચેસ તેમના નામનો પર્યાય છે અને તેમનો પ્રભાવ વૈશ્વિક છે. તેમની સિદ્ધિઓ પોતાને માટે બોલે છે. તેમનું વર્તન અને તે જે રીતે પોતાનું અને દેશનું પ્રતિનિધિત્વ કરે છે તે દરેક રમતવીરોએ શીખવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ક્યારેય લાઈમલાઈટ કે ધ્યાનની શોધ ન કરતા તેમનું એકમાત્ર ધ્યાન ફક્ત તેમની કુશળતાને વધુ સારું બનાવવા પર હતું. તેમને કોઈ પરિચયની જરૂર નથી, તેઓ ભારતના અને વિશ્વના મહાન ખેલાડીમાંના એક છે.

આજથી 50 વર્ષ પછી જ્યારે આપણે ઓલિમ્પિકમાં ભારત તરફ પાછા વળીને જોશું અને બધું કેવી રીતે બદલાયું તે વિશે વિચારશું, ત્યારે આપણે હંમેશા અભિનવ બિન્દ્રા પર પાછા આવીશું. તે દિવસે દેશ થંબી ગયો હતો. કોઈને માનવા ન આવતું હતું કે કોઈ ભારતીય ખેલાડીએ વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો છે. વર્ષો સુધી મેડલથી વંચિત રહેનાર દેશના એક ખેલાડીએ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો. તેની જીતે ગેમ્સ પ્રત્યેની દરેકની ધારણાને બદલી નાખી. તેનાથી ફંડિંગ, વ્યુઅરશિપમાં વધારો થયો, દેશને વધુ જીત જોઈતી હતી અને સપોર્ટ સિસ્ટમ તેના સ્થાને પડવા લાગી. જો તેઓ 2008માં જીત્યા ન હોત તો કદાચ આવી જ સ્થિતિ આજે ના હોત.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link