સની દેઓલના `ઢાઈ કિલો કે હાથ` પર મહેંદીની ચારેબાજુ ચર્ચા, મહેંદી આર્ટિસ્ટ છે સુરતની આ યુવતી!

Sat, 17 Jun 2023-6:36 pm,

દેઓલ પરિવારમાં ખુશીની લાગણી છે કારણ કે કરણ દેઓલ લગ્ન કરવા જઈ રહ્યો છે. કરણના મહેંદી સેરેમની માં પરિવારના તમામ સભ્યોએ હાથમાં મહેંદી લગાવી હતી અને પરિવારના તમામ સભ્યોને મહેંદી લગાવનાર સુરતની મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખ છે. નિમિષા ઇન્ટરનેશનલ મહેંદી આર્ટિસ્ટ છે. નિમિષા પારેખે મહેંદી ને 30 વર્ષ આપ્યા છે. 

કારણ છે કે મહત્વના ગણાતા મહેંદી સેરીમનીમાં મહેંદી માટે દેઓલ પરિવાર એ નિમિષાને આમંત્રણ આપ્યું હતું.નિમિષા ખાસ પોતાના હાથથી નેચરલ મહેંદી બનાવે છે. તેઓ 70 દેશોમાં મહેંદી એક્સપર્ટ તરીકે જાણીતા છે. નિમિષા થી મહેંદી શીખવા માટે દેશ-વિદેશમાંથી તેમને આમંત્રણ પણ મળે છે.

નિમિષાએ જે સનિ દેઓલના હાથ પર જે મેંહદી લગાવી છે તે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સનીના 'ઢાઈ કિલો કે હાથ' પર સર્વધર્મ સમભાવની મહેંદી નિમિષાએ લગાવી છે. એમાં હિન્દુ, મુસ્લિમ, શિખ, ઈસાઈ આ ચારેય ધર્મના ધાર્મિક નિશાન તેઓએ બનાવ્યા છે કે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકો પસંદ કરી રહ્યા છે. 

સની દેઓલની મહેંદી જોઈ લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. નિમિષાએ માત્ર સનીના જ નહીં પરંતુ ના તમામ સભ્યોના હાથ પર મહેંદી લગાવી છે. કરણે પોતાનાં હાથ પર દુલ્હન નું નામ લખાવ્યું છે. જ્યારે બોબી દેઓલએ કરણ અને દિશા આચાર્ય નું નામ લખ્યું છે.

નિમિષા પારેખે જણાવ્યું હતું કે, ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે સની દેઓલના હાથમાં લાગેલી મહેંદી હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકો પ્રસંસા કરી. પરિવારના દરેક સભ્યોને મે પોતે મહેંદી લગાવી છું. જ્યારે સની દેઓલને મહેંદી લગાવી રહ્યા હતા ત્યારે મેંહદી ની ડીઝાઈનને લઈ અમે બંને ચર્ચા કરી રહ્યા હતા. 

ત્યારે અમે બંને ચર્ચા બાદ નિર્ણય લીધો કે આવી મહેંદી બનાવીએ કે જેના થકી સર્વધર્મ સંભાવના સંદેશ જાય.પરિવાર ની મહિલાઓ એ જે ખાસ ટ્રેડિશનલ અને વારલી હોય તે મહેંદી મુકાવી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link