`તાનાજી`ના આ 10 પોસ્ટર તમને પિક્ચર જોવા માટે કરી દેશે મજબૂર

Tue, 19 Nov 2019-1:43 pm,

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અજય દેવગણ (Ajay Devgn) હાલમાં પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'તાનાજી: ધ અનસંગ વોરિયર (Tanhaji: The Unsung Warrior)'ને લઇને ખૂબ વ્યસ્ત છે. અજય દેવગણની આ ફિલ્મ આગામી 10 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

નવા વર્ષે અજય દેવગણ સ્ટારર મોસ્ટ અવેટેડ બિગ બજેટ ફિલ્મ તાનાજી: 'ધ અનસંગ વોરિયર' નો ફર્સ્ટ લુક જાહેર કર્યો હતો. 

'તાનાજી: ધ અનસંગ વોરિયર' બોલીવુડની આ સિલેક્ટેડ ફિલ્મોમાંથી એક છે, દર્શકો તેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે.

19 જુલાઇ 2018 ના રોજ આ ફિલ્મનું પોસ્ટર સામે આવતાં જ સમાચારોનું બજાર ગરમ થઇ ગયું હતું.

ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયર'માં અજય શિવાજીના સૈન્ય નેતા સુબેદાર તાનાજી માલુસરેની મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે.

'તાનાજી' એક પિરિયડ ડ્રામા ફિલ્મ છે. જેમાં અજય સાથે તેમની પત્ની અને બોલીવુડની જાણિતી અભિનેત્રી કાજોલ પણ છે. આ ફિલ્મમાં વર્ષ 2008 બાદ અજય દેવગણ અને પત્ની કાજોલ એકસાથે જોવા મળશે.

17મી શતાબ્દીની પૃષ્ઠભૂમિ પર આધારિત ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ભારતીય ઇતિહાસના વિસ્મૃત યોદ્ધા, છત્રપતિ શિવાજી મહારાજની સેનાના તાનાજી માલુસરેની જીંદગી પર આધારિત છે. 

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અજય દેવગણ (Ajay Devgn) હાલમાં પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'તાનાજી: ધ અનસંગ વોરિયર (Tanhaji: The Unsung Warrior)' ફિલ્મનું ટ્રેલર આજે (19 નવેમ્બર)ના રોજ રિલીઝ થવાનું છે.

આ ફિલ્મમાં અજય દેવગણની સાથે સૈફ અલી ખાન પણ ખાન પાત્રમાં જોવા મળશે. સમાચારોનું માનીએ તો સૈફ અલી ખન એક મુગલ રાજાનું પાત્ર ભજવી રહ્યા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link