Vegetable Peel: આ 4 શાકની છાલમાં સૌથી વધુ પોષકતત્વો, છાલ સહિત જ ખાવા જોઈએ આ શાક

Wed, 19 Jun 2024-12:47 pm,

મોટાભાગના શાકભાજીનો ઉપયોગ કરતા પહેલા તેને ધોઈને તેની છાલ કાઢી નાખવામાં આવે છે. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે કેટલાક શાક એવા છે જેને છાલ ઉતાર્યા વિના જ ખાવા જોઈએ. આ શાકની છાલમાં જ બધું પોષણ હોય છે. જો તમે આ વસ્તુઓને છાલ ઉતારીને ખાવ છો તો તેનાથી શરીરને કોઈ ફાયદો થતો નથી કારણ કે તેના પોષક તત્વો છાલની સાથે નીકળી જાય છે. 

મોટાભાગના લોકો બટેટાને ઉપયોગમાં લેતા પહેલા તેની છાલ કાઢી નાખે છે. બટેટાને છાલ સહિત ઉપયોગમાં ખૂબ ઓછા લોકોને છે. પરંતુ જો બટેટાની છાલ કાઢી નાખવામાં આવે તો તેના પોષક તત્વો પણ ઘટી જાય છે. બટેટાની છાલમાં જ આયરન, પોટેશિયમ, વિટામિન સી, વિટામીન એ જેવા પોષક તત્વો હોય છે.

કાકડીનો ઉપયોગ રાયતામાં, સલાડમાં અને ડીટોક્ષ વોટરમાં કરવામાં આવે છે. જોકે ઘણા લોકો કાકડીને પણ ખાતા પહેલા તેની છાલ કાઢી નાખે છે. પરંતુ આવું કરવું નહીં. કાકડીની છાલમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જો કાકડીને છાલ સહિત ખાવામાં આવે તો તે ફાયદો કરે છે.

શક્કરીયા વિટામિન બી અને વિટામિન સી સહિત ડાયટ્રીફાઇબરથી ભરપૂર હોય છે. આ પોષક તત્વો શક્કરિયાની છાલમાં પણ હોય છે. તેથી શકરીયા ને છાલની સાથે ખાવા જોઈએ. તેનાથી આંખની રોશની પણ વધે છે અને ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે. 

મૂળા પણ એવું શાક છે જેને છાલ સહિત જ ખાવું જોઈએ. મૂળાની છાલમાં એવા પોષક તત્વો હોય છે જે શરીરને શક્તિ આપે છે. તેથી મૂળાની છાલને ક્યારેય કાઢવી નહીં.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link