Platelet Count: પ્લેટલેટ કાઉન્ટને ઝડપથી વધારે છે આ 5 આયુર્વેદિક પાન, જાણો ઉપયોગ કરવાની રીત

Wed, 10 Jul 2024-2:50 pm,

પ્લેટલેટ કાઉન્ટ વધારવા માટે સૌથી વધુ પપૈયાના પાનનો ઉપયોગ થાય છે. તેમાં એવા પોષક તત્વ હોય છે જે પ્લેટલેટ કાઉન્ટના ઉત્પાદનને વધારવામાં મદદ કરે છે. સાથે જ પપૈયાના પાનનો રસ પીવાથી રક્ત કોષિકાનું નિર્માણ પણ ઝડપથી થાય છે.

ગિલોઈના પાનનો રસ પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં અસરકારક છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિવાયરલ ગુણ હોય છે જે ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે અને પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે. ગિલોઈના પાનનો રસ કાઢીને અથવા તો તેનો ઉકાળો બનાવીને પી શકાય છે. 

પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં એલોવેરા પણ ઉપયોગી છે. એલોવેરામાં એવા પોષક તત્વો હોય છે જે શરીરમાં પ્લેટલેટ કાઉન્ટ ઉણપને દૂર કરે છે. પ્લેટલેટ કાઉન્ટ ઓછા હોય તો નિયમિત દિવસમાં એક કે બે વખત એલોવેરા જ્યુસનું સેવન કરી શકાય છે. 

તુલસીના પાન ઔષધીય ગુણથી ભરપૂર હોય છે. તે ગંભીર બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી સંક્રમણ સામે લડવામાં પણ મદદ મળે છે. નિયમિત રીતે તુલસીના પાનનો રસ કે તેનો ઉકાળો બનાવીને પીવાથી પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં પણ મદદ મળે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. 

સરગવાના પાન પણ પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે. તેનાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને પ્લેટલેટ કાઉન્ટ વધે છે. સરગવાના પાનનું સેવન જ્યુસ બનાવીને કે શાક તરીકે કરી શકાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link