Monsoon Insects: સાંજ પડે ને ઘરમાં ઘુસી જાય છે પાંખવાળી જીવાત ? ફોલો કરો આ ટીપ્સ, ઘરની આસપાસ પણ નહીં ફરકે જીવજંતુ

Sat, 17 Aug 2024-1:23 pm,

ભેજવાળા વાતાવરણ તરફ આવી જીવાત ઝડપથી આકર્ષિત થાય છે. તેથી ચોમાસા દરમિયાન ઘરની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપો. ઘરમાં કોઈપણ જગ્યાએ પાણી જમા ન થાય તે વાતનું ધ્યાન રાખો અને ઘરમાં સ્વચ્છતા જાળવો.

જો તમે એવી જગ્યાએ રહેતા હોય જ્યાં આસપાસ હરિયાળી વધારે હોય તો જીવજંતુઓને ઘરથી દૂર રાખવા માટે કીટનાશક સ્પ્રેનો ઉપયોગ કરો. ઘરના ગાર્ડનમાં આ પ્રકારના સ્પ્રે છાંટી દેવાથી જીવજંતુઓનો ઉપદ્રવ અટકે છે. 

મોટાભાગે જીવજંતુઓ દરવાજાની ખુલ્લી જગ્યા અને બારીમાંથી ઘરમાં ઘુસે છે. તેથી બારી દરવાજામાં નેટ લગાવવી ઉત્તમ ઉપાય રહે છે. સુરક્ષા જાળી લગાડ્યા પછી બારી દરવાજામાંથી જીવજંતુઓ ઘરમાં ઘૂસી નહીં શકે. 

પાંખવાળી જીવાત લાઈટથી આકર્ષિત થતી હોય છે. તેવામાં લાઈટની આસપાસ લીમડાના તેલનો છંટકાવ કરી દેવો. તેનાથી જીવજંતુઓ દૂર ભાગશે. 

ઘરનો કચરો અને વધેલુ ભોજન ડસ્ટબિનમાં ફેકવામાં આવે છે. ચોમાસા દરમિયાન ડસ્ટબીનની સફાઈ પર પણ ખાસ ધ્યાન રાખવું. જો તમે વધેલું ભોજન ડસ્ટબિનમાં ફેકતા હોય તો તેને ઢાંકીને રાખો. ડસ્ટબિનને નિયમિત ખાલી કરીને સાફ રાખશો તો વાંદા, ગરોળી જેવા જીવજંતુઓ આકર્ષિત થશે નહીં. 

ચોમાસા દરમિયાન જ્યારે તડકો નીકળે ત્યારે ઘરમાં પ્રોપર વેન્ટિલેશન હોય તે વાતનું ધ્યાન રાખો. ઘરમાં સતત ભેજવાળું વાતાવરણ રહેશે તો જીવજંતુઓ વધવા લાગશે. તેથી નિયમિત રીતે બારી દરવાજા ખોલી ઘરમાં તાજી હોવાની અવરજવર થાય અને તડકો આવે તે વાતનું ધ્યાન રાખો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link