ગજબના ભાગ્યશાળી છે આ 5 રાશિવાળા! આજે બ્રહ્મ યોગ સહિત 3 યોગનો શુભ સંયોગ કરાવશે બેડો પાર, ઈચ્છાપૂર્તિનો સમય

Thu, 18 Jul 2024-10:04 am,

મેષ રાશિવાળા માટે આજનો દિવસ ખુબ શુભ રહેવાનો છે. લાંબા સંઘર્ષ બાદ પરેશાનીઓથી મુક્તિ મળશે અને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. જો તમે પાર્ટ ટાઈમ બિઝનેસ કરવાનું વિચારતા હોવ તો તેના માટે તમે સમય કાઢી શકશો. આજે કરાયેલા રોકાણથી ભવિષ્યમાં સારું રિટર્ન મળશે અને સામાજિક મેળમિલાપ વધારવામાં સફળ રહેશો. નોકરીયાતો અને વેપારીઓને બનાવવામાં આવેલી યોજનાઓથી સફળતા મળશે. આવકમાં વધારો જોવા મળશે. કૌટુંબિક અને લગ્ન જીવન સારું રહેશે ભાઈ બહેનોનો સાથ મળશે. 

ઉપાય- ધન સંબંધિત સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે પીપળાના પાનને ગંગાજળથી ધોઈને સિંદુરથી 'ॐ श्रीं ह्रीं श्रीं नमः' મંત્ર લખીને પર્સમાં રાખી લો. આ સાથે જ એક માતા લક્ષ્મીના સ્વરૂપવાળો ચાંદીનો સિક્કો રાખો. 

કર્ક રાશિવાળા માટે મહત્વકાંક્ષા પૂરી કરનારો દિવસ રહેશે. ખર્ચા ઓછા થશે અને કોઈ મિત્ર તમારા માટે ખુશખબર લઈને આવશે. વેપાર માટે કેટલીક રણનીતિ બનાવશો જેમાં તમે સફળ રહેશો. વેપારનો વિસ્તાર થાય તેવા યોગ છે. નોકરીયાતો માટે શાનદાર તકો મળી શકે છે અને અધિકારીઓનો સાથ પણ મળશે. કોટુંબિક જીવન અને લગ્ન જીવનમાં બધુ અનુકૂળ રહેશે તથા પરિવારમાં ચાલી રહેલી પરેશાનીઓ દૂર થશે. 

ઉપાય- ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરો અને દેશી ઘીનો દીવો પ્રગટાવીને વિધિવત પૂજા કરો. આ સાથે જ પીળા કપડાં પહેરો અને પીળી ચીજોનું સેવન કરો. 

તુલા રાશિવાળા માટે આજનો દિવસ ખુબ શુભ રહેશે. કોઈ ખાસ મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે જેની પાસેથી મહત્વપૂર્ણ જાણકારી મળી શકે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી આવકમાં વધારાના યોગ છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. તમારી બુદ્ધિનો વિકાસ થશે અને દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ પણ બદલાશે. જીવનસાથી સાથે તમને કોઈ સમારોહમાં જવાની તક મળશે જ્યાં પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થઈ શકશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને  ખુશીઓ વધશે. 

ઉપાય- વેપારમાં પ્રગતિ માટે ગુરુવારે પૂજાઘરમાં હળદરની માળા લટકાવો અને કાર્યસ્થળ પર પીળા રંગનો ઉપયોગ કરો તથા લક્ષ્મી નારાયણ મંદિરમાં લાડુનો ભોગ ધરાવો.   

મકર રાશિવાળા માટે ખુબ સ્પેશિયલ રહેશે આજનો દિવસ. ધાર્મિક કાર્યોમાં મન લાગશે અને સાસરિયા પક્ષના લોકોનો સાથ મળશે. વેપારમાં તેજીથી પ્રગતિ થશે જેને જોઈને હરિફો ચક્કર ખાઈ જશે અને તમને સારો એવો આર્થિક લાભ થશે. જે જાતકો શિક્ષણ, નોકરી કે ફરવા માટે વિદેશ જવા માંગતા હોય તેમની આ ઈચ્છા પૂરી થઈ શકે છે. જીવનસાથી માટે કાલે તમે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરી શકો છો. ઘરે બાળકો સાથે સારો સમય પસાર થશે. 

ઉપાય- મનોકામના પૂર્તિ માટે ગુરુવારે સાંજે પીળા કપડાંમાં એક સિક્કો, થોડો ગોળ અને સાત આખી હળદરની ગાંઠ  બાંધીને રેલવે લાઈન પાસે ફેંકી દો અને પછી મંદિર જતા રહો. 

કુંભ રાશિવાળા માટે શાનદાર દિવસ રહેશે. શત્રુઓથી મુક્તિ મળશે અને ભાગ્યનો સાથ મળવાથી દરેક કાર્ય સરળતાથી પૂરું થશે. જો મિત્રો સાથે મનમોટાવ ચાલતો હોય તો દૂર થશે. કોઈ જૂના રોકાણથી તમને સારો એવો લાભ થશે અને સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. પરિવારમાં કોઈ મુશ્કેલી હશે તો તેને ધૈર્યથી દૂર કરવામાં સફળ રહેશો. 

ઉપાય- રોજગાર સંબંધી સમસ્યા માટે કેળાના ઝાડની પૂજા કરો અને પીળી વસ્તુ  જેમ કે ફળ, કપડાં, વગેરેનું દાન કરો. પરંતુ કેળું ખાવાથી બચજો. 

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link