લોકપ્રિયતાને મારી લાત, પતિથી થઈ ગઈ દૂર, હવે સાધ્વી બની ભિક્ષા માંગી રહી છે આ ટોપ અભિનેત્રી

Tue, 01 Oct 2024-9:51 pm,

આ અભિનેત્રી બીજું કોઈ નહીં નુપુર અલંકાર છે. નુપુર અલંકારે ટીવી ઈન્ડસ્ટ્રી પર 27 વર્ષ સુધી રાજ કર્યું. આ દરમિયાન 157 ટીવી શોમાં કામ કર્યું અને બધાને પોતાના પાત્રથી પ્રભાવિત કર્યાં હતા. તેના કેટલાક પાત્ર એવા છે જેને આજે પણ લોકો યાદ કરે છે. નુપુર જયપુરની રહેવાસી છે. તેનો જન્મ 1972માં થયો હતો. રિપોર્ટ્સ પ્રમાણે તેણે પોતાની સ્કૂલિંગ જયપુરથી કર્યું અને બાદમાં પરિવાર સાથે મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી. 

કલ્ચરલ એક્ટિવિટી  ઉપરાંત નૂપુર નૃત્ય અને અભિનયમાં પણ નિપુણ હતી. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી, નૂપુરે મનોરંજન ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. નૂપુરની ફેમસ સિરિયલોમાં 'શક્તિમાન', 'ઘર કી લક્ષ્મી બેટીયાં', 'દિયા ઔર બાતી', 'રાજાજી', 'સાંવરિયા', 'યે પ્યાર ના હોગા કમ', 'સ્વરાગિની', 'જોડે રિશ્તો કા સૂર', 'ઘણી'નો સમાવેશ થાય છે. 'ના બોલે તુમ ના બોલે' જેવા શો સામેલ છે.

 

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં ફેમસ ફેસ બન્યા બાદ નુપુરે વર્ષ 2022માં એવો ચોંકાવનારો નિર્ણય લીધો જેણે બધાને ચોંકાવી દીધા. નુપુરે અચાનક ઈન્ડસ્ટ્રી છોડીને ધર્મનો માર્ગ અપનાવ્યો. નૂપુરના આ નિર્ણયે બધાને ચોંકાવી દીધા હતા. ઈ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં નૂપુરે કહ્યું હતું કે તેના ગુરુ શંભુ શરણ ઝા છે અને તે પોતાને નસીબદાર માને છે. જેણે તેને આધ્યાત્મિકતા સમજવામાં મદદ કરી.

નુપુર બ્રજમાં લોકોના ઘરે ભિક્ષા માંગતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો આવતા જ તેના ફેન્સ ચોંકી ગયા હતા. તેણે સાધ્વી વસ્ત્રો પહેર્યા હતા અને કપાળ પર ચંદન લગાવ્યું હતું.

જ્યારે નૂપુરે સન્યાસની જાહેરાત કરી ત્યારે તે પરિણીત હતી. પોતાના લગ્ન અને પરિવાર વિશે વાત કરતા નુપુરે કહ્યું કે તેના પતિએ તેને ટેકો આપ્યો અને છૂટાછેડાનો કાનૂની રસ્તો પણ અપનાવ્યો નહીં. હાલમાં નૂપુર સોશિયલ મીડિયા પર સન્યાસી લુકના ફોટા શેર કરતી રહે છે.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link