અમદાવાદના 5 બ્રિજ બંધ કરાતા સુભાષબ્રિજ પર ટ્રાફિક જામ, એમ્બ્યુલન્સ પણ ફસાઈ

Tue, 05 May 2020-12:25 pm,

સુભાષ બ્રિજ તરફ ટ્રાફિક જામ થતા એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. પોલીસ દ્વારા એમ્બ્યુલન્સ માટે માર્ગ ખુલ્લો કરી આપવામાં આવ્યો હતો. તો સાથે જ પોલીસ દ્વારા તમામના આઈકાર્ડ ચકાસી, બિનજરૂરી અવરજવર કરતા લોકોને ફટકારાઈ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ રસ્તા પરથી પસાર થઈ રહેલા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જરૂરી સર્વિસ સાથે સંકળાયેલા લોકોના ઓળખપત્ર ચકાસવામાં આવી રહ્યા છે. તો સાથે જ બિનજરૂરી આવનજાવન કરતા તમામને દંડ ફટકરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર દ્વારા અમદાવાદના ગાંધી બ્રિજ, દધીચિ બ્રિજ, આંબેડકર બ્રિજ, નહેરૂ બ્રિજ, સરદાર બ્રિજ બંધ કરવાની જાહેરાત કરાઈ હતી. તો સુભાષ બ્રિજ અને એલિસબ્રિજ પર સરકારી કર્મચારીઓ અને પાસ ધારકો ચકાસણી કરાવ્યા પછી જઈ શકાશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link