રક્ષાબંધનમાં ઝળકશે મોદી-યોગી, રામ મંદિર અને ચંદ્રયાન, જુઓ યુનિક રાખડીઓ
સુરતમાં રક્ષાબંધન માટે આ વખતે ખાસ ડિઝાઈનર સોના અને ચાંદીની રાખડીઓ મળી રહી છે. જેમાં પીએમ મોદી, યૂપીના સીએમ યોગી આદિત્યનાથ, રામ મંદિર અને ચંદ્રયાન 3ની છબીવાળી રાખડી પણ જોવા મળી રહી છે. આ છબીઓ ખાસ સોના અને ચાંદીના સિક્કા પર બનાવવામાં આવી છે. પીએમ મોદી અને સીએમ યોગીની લોકપ્રિયતા અને સાથોસાથ હાલ જે રીતે દેશભરમાં રામ મંદિર અને ચંદ્રયાન ત્રણની ચર્ચા ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખીને આ ખાસ રાખડી ડિઝાઇન કરવામાં આવી છે. સાથે જ બાળકો માટે સુપરમેન, બેટમેન અને સ્પાઈડરમેનની રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. આ સોનાની રાખડીની કિંમત 7 હજારથી લઈને 1 લાખ 20 હજાર સુધીની છે. તો ચાંદીની રાખડીની કિંમત એક હજાર રૂપિયાથી શરૂ થાય છે.