Fee માટે સ્કૂલમાં બેઇજ્જતી બાદ વિદ્યાર્થી કરી આત્મહત્યા, સાંભળો મજૂર પિતાની દુખભરી કહાની

Fri, 12 Mar 2021-5:02 pm,

આરોપ અનુસાર 17 વર્ષના વિદ્યાર્થીઓને સ્કૂલમાં એમ કહીને બેઇજ્જત (Student Unable To Pay School Fee) કરવામાં આવ્યો હતો જો તેની સ્કૂલની બાકી ફી જમા ન થઇ તો તેને એક્ઝામમાં બેસવા દેવામાં નહી આવે. તમને જણાવી દઇએ કે મૃતક પિતા પરમેશ્વર દયાળ એક મજૂર છે. (પ્રતિકાત્મક તસવીર)

પીડિતાના પિતાએ પોલીસને જણાવ્યું કે તેમનો પુત્ર પરેશાન હતો કારણ કે તેને સ્કૂલની ફી આપવા માટે 8,000 હજાર રૂપિયાની વ્યવસ્થા થતી ન હતી. પુત્રએ સોમવારે 8 હજાર રૂપિયા માંગ્યા હતા અને મેં તેને કહ્યું હતું કે હું વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પરંતુ તેની સ્કૂલવાળા માની રહ્યા નથી અન તે ફી જમા કરાવવા માટે દબાણ નાખી રહ્યા હતા. હું ગરીબ મજૂર છું. મારી પાસે વેચવા માટે કંઇપણ નથી. (પ્રતિકાત્મક તસવીર)

તેમણે આગળ કહ્યું કે થોડીવાર પછી પુત્રના રૂમમાં ગોળી ચલાવવામાં આવશે. ત્યારે અમે દોડીને આવ્યા તો તે લોહીથી લથપથ પડ્યો હતો. ઘટનાસ્થળે જ તેનું મોત થઇ ગયું હતું. હું પોતાને ક્યારેય માફ કરી શકીશ નહી. (પ્રતિકાત્મક તસવીર)

વિદ્યાર્થીની આત્મહત્યાના મામલે શાહજહાંપુર એસપી (સિટી) સંજય કુમારે કહ્યું કે છોકરાના પિતાએ અમને જણાવ્યું કે તે પુત્રની સ્કૂલ ફીની વ્યવસ્થા ન કરી શકયા તો તેણે પોતાનો જીવ આપી દીધો. (પ્રતિકાત્મક તસવીર)

તો નિગોહીના એસએચઓ મનોહર સિંહે કહ્યું કે અમે તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તેની પાસે દેસી પિસ્તોલ ક્યાંથી આવી. પરિવારે સ્કૂલ વહિવટીતંત્ર વિરૂદ્ધ કોઇ લેખિત ફરિયાદ આપી નથી. અમે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. (પ્રતિકાત્મક તસવીર)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link