સાંજના સમયે આ વસ્તુઓ દેખાય ગઇ તો તિજોરી ધનથી છલકાઇ જશે, મા લક્ષ્મી કરશે આગમન

Tue, 08 Aug 2023-12:26 pm,

મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જે ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ક્યારેય પૈસાની કમી નથી હોતી. જ્યોતિષમાં કેટલીક વસ્તુઓને દેવી લક્ષ્મીના આગમનનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે સાંજે આ વસ્તુઓનું દેખાવું દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે. વાસ્તુ અનુસાર સાંજના સમયે આ વસ્તુઓ જોવાનું શુભ માનવામાં આવે છે, તેનો અર્થ છે કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે રહેશે. આવો જાણીએ કઇ છે વસ્તુઓ વિશે... 

ઘરમાં કીડીઓ આવવી સામાન્ય વાત છે. પરંતુ સાંજે ઘરમાં કાળી કીડીઓનું ટોળું જોવું ખૂબ જ શુભ હોય છે. વાસ્ત્રુ શાસ્ત્ર અનુસાર, સાંજે કાળી કીડીઓનું ટોળું જોવું એ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે.

ઘરમાં દરરોજ ગરોળી જોવા મળે છે. કેટલાક લોકો ગરોળીથી ખૂબ ડરતા પણ હોય છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી ઘરમાં ગરોળી જોવાનું શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર જો સાંજે ત્રણ ગરોળી દેખાય તો સમજી લેવું કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થવાનો છે.

જો ઘરમાં કોઈ પક્ષી માળો બનાવતું હોય તો તેને નષ્ટ ન કરો. વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં પક્ષીનો માળો બનાવવો એ શુભ સંકેત છે. એવું કહેવામાં આવે છે કે તેનો અર્થ એ છે કે વ્યક્તિના સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે અને વ્યક્તિ પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મેળવશે.

જો કોઈ વ્યક્તિ સાંજે જાગીને સપનામાં ગરોળી, ઘુવડ, શંખ, ગુલાબનું ફૂલ, સાવરણી, વાંસળી અને વાસણ જુએ તો તે તેના જીવનમાં સુખ આવવાના સંકેત છે. આ કેટલાક સારા સમાચારની નિશાની છે. આ સાથે નાણાકીય લાભ પણ થાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link