મોદી સરકારની શાનદાર સ્કીમ, મહિલાઓના ખાતામાં આવશે 5 લાખ રૂપિયા, બસ જોઇશે આટલા કાગળિયા

Wed, 10 Apr 2024-12:10 pm,

લખપતિ દીદી યોજનામાં તમને વગર વ્યાજે લોન મળી જાય છે. હાલ આ યોજના અંતગર્ત ફાયદો લેનારાઓની સંખ્યા 3 કરોડ સુધી પહોંચવાનો લક્ષ્ય છે. જે તમારા માટે ફાયદો કરાવી શકે છે. આ યોજનામાં લાભાર્થીઓની સંખ્યા વધારવા માટે સરકાર પ્રયાસો કરી રહી છે જે તમને મોટો ફાયદો કરાવી શકે છે. 

આ યોજનામાં મહિલાઓને સ્કિલ ટ્રેનિંગ આપીને સ્વરોજગારના યોગ્ય બનાવવામાં આવે છે, જેથી મહિલાઓની આર્થિક સિસ્થિતિમાં સુધારો આવી શકે. આ સાથે જ તે પોતાને તે સ્કિલ દ્વારા આર્થિક રૂપથી મજબૂત બનાવી શકે.  જે તમારા માટે મોટો ફાયદો કરાવી શકે છે. સરકાર હાલમાં આ યોજનામાં રસ લઈ રહી છે. ચૂંટણી ટાણે તમારે આ લાભ લઈ લેવાની જરૂર છે. 

આ યોજનાની શરૂઆત સરકારે 15 ઓગસ્ટ 2023 ના રોજ થઇ હતી. આ યોજના અંતગર્ત અત્યાર સુધી લગભગ 1 કરોડ મહિલાઓ લખપતિ દીદી બનીને સફળતા પ્રાપ્ત કરી ચૂકી છે. 18 થી 50 વર્ષની મહિલા આ યોજનામાં એપ્લાય કરી શકે છે. આ યોજના મહિલાઓ માટે સૌથી અગત્યની છે. જે તમને 1થી 5 લાખનો લાભ આપી શકે છે. 

આ યોજનામાં એપ્લાય કરવા માટે તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇનકમ પ્રૂફ, બેંક પાસબુક અને વેલિડ મોબાઇલ નંબરની જરૂર રહેશે. જેને પગલે તમને મોટી રાહત મળી શકે છે. તમે આ યોજનામાં જોડાઈ શકો છો. જે તમને મોટો ફાયદો કરાવી શકે છે. સરકાર લખપતિ દીદીની સંખ્યા વધારવા માગે છે. 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરતાં નાણામંત્રીએ આ યોજનાની ચર્ચા કરી હતી.

લખપતિ દીદી યોજના દ્વારા બિઝનેસ શરૂ કરવા માટે વ્યાજ ફ્રી લોન મળે છે. આ સાથે જ ઓછા ખર્ચમાં ઇંશ્યોરન્સની સુવિધા પણ મળી જાય છે. મહિલાઓની કમાણીને વધારવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. સરકારે આ બજેટમાં આ યોજનાને ખાસ પ્રાધાન્ય આપ્યું છે. મોદી સરકાર આ યોજના માટે બજેટ પણ ફાળવ્યું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link