Marriage Tips: લગ્ન પહેલા અને લગ્ન પછી સંબંધમાં ઘણા બધા પ્રકારના ફેરફાર જોવા મળે છે. સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ હોય તો જરૂરી છે. પરંતુ કેટલાક લોકો નાસમજીના કારણે સંબંધોને ખરાબ કરી બેસતા હોય છે. ઘણા લોકોનું લગ્નજીવન તેમની આદતોના કારણે બગડે છે. આજે તમને એવી આદતો વિશે જણાવીએ જે તમારા સુખી સંસારમાં આગ લગાડી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્ન એ જીવનનો સૌથી મહત્વનો નિર્ણય હોય છે. લગ્નમાં બે વ્યક્તિ એકબીજાના થઈને જીવન પસાર કરે છે. પરંતુ જ્યારે એક સંબંધમાં બે લોકો બંધાય છે તો કેટલીક સમસ્યાનો સામનો પણ કરવો પડે છે. તેવામાં બેમાંથી એક વ્યક્તિ પણ જો કેટલીક ભૂલ કરે તો સંબંધ બગડી શકે છે. આવી ભૂલ બે વ્યક્તિ વચ્ચે લડાઈ ઝઘડાનું કારણ પણ બની શકે છે. 


આ પણ વાંચો: માતાએ લગ્ન પહેલા જ દીકરીને સમજાવી દેવી આ વાતો, દીકરીનું જીવન રહેશે ખુશહાલ


લડાઈ ઝઘડા


સંબંધ ખૂબ જ નાજુક હોય છે. તેથી લગ્નજીવનની શરૂઆતથી લઈને વર્ષો થઈ જાય તો પણ કેટલાક નિર્ણયો સમજી વિચારીને લેવા જોઈએ. સાથે જ એકબીજાની વાતને સારી રીતે સાંભળી અને સમજીને રિએક્શન આપવું જોઈએ. જો ગેરસમજના કારણે તમે લડાઈ ઝઘડા કરો છો તો તેનાથી લગ્નજીવન પર ખરાબ અસર પડે છે અને ધીરે ધીરે સંબંધ ખરાબ થવા લાગે છે.


ત્રીજી વ્યક્તિ


પતિ પત્ની વચ્ચે જો ઝઘડો થઈ પણ જાય તો તેમાં ત્રીજી વ્યક્તિને ક્યારેય ન લાવવો. જ્યારે પતિ પત્નીના ઝઘડામાં ત્રીજી વ્યક્તિ પડે છે તો સંબંધ બગડી જાય છે. કોઈપણ પ્રકારની ગેરસમજના કારણે ઝઘડો ન થાય તે વાતનું ધ્યાન રાખવું હોય તો દિવસ દરમિયાન થયેલી દરેક વાત પાર્ટનર સાથે શેર કરો. જ્યારે પણ મનમાં ગુસ્સો હોય ત્યારે વાત કરવાનું ટાળો. પતિ પત્ની વચ્ચે સમસ્યા થાય તો તેનું સમાધાન પણ બંનેએ જ લાવવું જોઈએ ત્રીજી વ્યક્તિને સમાધાન માટે પણ વચ્ચે ન લાવવો.


આ પણ વાંચો: પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં થતી ટીકાને હેન્ડલ કરવાની આ રીતે છે સૌથી બેસ્ટ


રૂટીનમાંથી બ્રેક લો


લગ્ન જીવનમાં પણ બ્રેક જરૂરી છે. આ બ્રેક એકબીજાથી લેવાની જરૂર નથી પરંતુ પતિ પત્નીએ પોતાના રૂટિન થી બ્રેક લેવાની જરૂર હોય છે. સંબંધોમાં પ્રેમ અને હુંફ જળવાઈ રહે તે માટે સમયે સમયે પતિ પત્નીએ એકબીજા સાથે ફરવા જવાનું રાખવું જોઈએ. આ સમય દરમિયાન એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)