Relationship Tips: ઘણા દંપતી એવા હોય છે જે એકદમ ખુશહાલ જીવન જીવતા હોય અને અચાનક જ તેમના સંબંધમાં સમસ્યાઓ ઊભી થવા લાગે. પતિ-પત્નીનો સંબંધ ગાઢ હોય તો પણ કેટલીક બાબતો એવી હોય છે જે ખુશહાલ જીવનને પણ બરબાદ કરી શકે છે. જે કપલ એકબીજાને મુશ્કેલ સમયમાં પણ સાથ આપતા હોય તેમનો સંબંધ અચાનક જ તૂટવાની નજીક પહોંચી જાય છે. આમ થવા પાછળ ચાર કારણ જવાબદાર હોય છે. આ ચાર કારણથી દરેક કપલે દૂર રહેવું જોઈએ કારણકે તે સંબંધો તોડી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: જયા બચ્ચનથી લઈ કેટરિના સુધીની અભિનેત્રીઓએ જણાવ્યું ક્યારે રિલેશનશીપમાં લેવો યુ ટર્ન


વાતો છુપાવી


સંબંધોમાં એકબીજાથી વાતને સિક્રેટ રાખવાની આદત એકબીજાના મનમાં કડવાશ ઊભી કરી શકે છે. જો તમે એક વાત પણ છુપાવો છો તો તેના કારણે સંબંધોમાં તણાવ ઉભો થવા લાગે છે. એકબીજાની પ્રાઇવેસીનું સન્માન કરવું જરૂરી છે પરંતુ કેટલીક બાબતો એવી હોય છે જેને સિક્રેટ રાખવી નહીં. 


વિશ્વાસ ન કરવો


કોઈપણ સંબંધની મજબૂતી વિશ્વાસ પર આધાર રાખે છે. જો તમે તમારા પાર્ટનર પર વિશ્વાસ નહીં કરો અને મનની વાત ખુલીને નહીં કરો તો ધીરે ધીરે તમારો સંબંધ નબળો પડવા લાગશે. સંબંધોમાં એકબીજા પર વિશ્વાસ કરીને જ તમે સંબંધને મજબૂત બનાવી શકો છો.


આ પણ વાંચો: દાયકા સુધી સાથે રહ્યા પછી કપલ વચ્ચે થતા ડિવોર્સ પાછળ આ કારણો હોય છે જવાબદાર


કેર ન કરવી


લગ્નજીવનને ખુશહાલ રાખવું હોય તો એકબીજાની કેર કરવી જરૂરી છે. જો તમે નાની નાની બાબતોમાં પાર્ટનરની કેર કરો છો તે દેખાડશો તો સંબંધ મજબૂત રહેશે. જો તમારા પાર્ટનરની કોઈપણ બાબતથી તમને ફરક પડતો નથી અને તમે કેર કરતા નથી તેવું હોય તો સંબંધ ટકતો નથી. 


દરેક વાત મજાકમાં લેવી


આ પણ વાંચો: આ 5 વસ્તુઓ પુરુષોની નબળાઈ દુર કરી તુરંત વધારે છે તાકત, મેરિડ લાઈફમાં છવાઈ જશે ખુશીઓ


ઘણા લોકોની આદત હોય છે કે તે એકબીજા સાથે મોટાભાગે મજાક કરતા હોય છે. પરંતુ પતિ-પત્નીના સંબંધમાં બધી જ વાત જો તમે મજાકમાં લેવા લાગશો તો સંબંધ નબળો પડવા લાગશે. ખાસ કરીને પોતાના પાર્ટનરની વાતે વાતમાં મજાક ઉડાડવાની ટેવ સંબંધમાં ખટાશ લાવે છે. મજાક કરવાનો પણ એક સમય હોય છે ગંભીર બાબત હોય ત્યારે જો પાર્ટનરની મજાક ઉડાવશો તો તે વાત તમારા સંબંધ પર ભારી પડશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)