Relationship Tips: પતિ અને પત્નીના સંબંધ એવા હોય છે જ્યાં પ્રેમની સાથે તકરાર પણ થતી રહે છે. આપણે ત્યાં તો કહેવાય છે કે ઝઘડો તેની સાથે જ થાય જેના માટે પ્રેમ હોય. પતિ પત્ની વચ્ચે હેલ્ધી રિલેશનશિપ જળવાય તે માટે પ્રેમની સાથે મીઠો ઝઘડો પણ જરૂરી છે. પરંતુ કેટલીક વખત ઝઘડા એટલા વધી જાય છે કે સંબંધોમાં અંતર આવવા લાગે છે. સંબંધોમાં અંતર આવવાની શરૂઆત નાની નાની બાબતો થી થાય છે. જો તમે આ બાબતોને ઇગ્નોર કરો અને તેનું સમાધાન ન લાવો તો વાત ડિવોર્સ સુધી પણ પહોંચી શકે છે. તેથી ખૂબ જ જરૂરી છે કે તમારા સંબંધોમાં આ ત્રણ કારણોથી અંતર આવવા લાગે તો તેના સોલ્યુશન પર કામ કરવું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પતિ પત્ની વચ્ચે અંતર લાવે છે આ ત્રણ બાબતો


આ પણ વાંચો:


સંબંધોમાં આ 5 વાતમાં બિંદાસ બોલો ખોટું... જેમ ખોટું બોલશો તેમ મજબૂત થશે સંબંધ


આ સંકેતો જણાવે છે કે તમારો પાર્ટનર તમને ખરેખર પ્રેમ કરે છે કે માણે છે Situationship


મિત્રના પ્રેમમાં પડ્યા પછી પ્રપોઝ કરવામાં ડર લાગે છે? તો આ રીતે કરો પ્રેમનો ઈઝહાર


ગેરસમજ


પતિ પત્નીના સંબંધો છૂટાછેડા સુધી પહોંચી જાય તે માટે જવાબદાર સૌથી મોટું કારણ ગેરસમજ હોય છે. જ્યારે કોઈ વાતને લઈને પતિ કે પત્નીને ઘેર સમજ થઈ જાય છે તો ઝઘડા થવાની શરૂઆત થાય છે. જો સમયસર તમે આ ગેરસમજને દૂર ન કરો તો તેનાથી વાત સંબંધ તૂટવા સુધી પણ પહોંચી શકે છે. 


વાતને ઇગ્નોર કરવી


ઘણા કપલ એવા હોય છે જે પોતાના પાર્ટનરની વાતને સાંભળીને પણ નથી સાંભળતા. એટલે કે પાર્ટનર વાત કરે તો તેને સાંભળી લે પરંતુ પછી તેની વાતને ઇગ્નોર કરે. જ્યારે કોઈ એક પાર્ટનર બીજાની વાતને ધ્યાનમાં જ ન લે તો પછી સંબંધ ખરાબ થવા લાગે છે. પાર્ટનર ની બધી જ વાતને ઇગ્નોર કરવી અપમાન જેવું લાગવા લાગે છે જેના કારણે સંબંધો તૂટી પણ શકે છે.


આ પણ વાંચો:


બ્રેકઅપ બાદ ડિપ્રેશનના કારણે નથી કરી શકતા મુવ ઓન ? આ 5 ટિપ્સ તમને કરશે મદદ


ફિઝિકલ રિલેશનનો અભાવ


સંબંધોમાં પ્રેમ અને લાગણી જળવાઈ રહે તે માટે જરૂરી સેક્સ પણ છે. આજના સમયમાં કપલ્સ એટલા બીઝી હોય છે કે તેમને એકબીજા સાથે પસાર કરવા માટે પણ સમય નથી હોતો અને જો સાથે બેસે તો પણ હાથમાં મોબાઈલ હોય છે આવી સ્થિતિમાં પતિ પત્ની વચ્ચે ફિઝિકલ એન્ટીમસી ઘટી જાય છે. જ્યારે પતિ પત્ની વચ્ચે શારીરિક સંબંધો પણ ઘટવા લાગે તો ધીરે ધીરે બંને વચ્ચે અંતર વધતું જાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)