Rajasthan News : પ્રેમ એ આંધળો હોય છે. જ્યારે પણ તમે આ ચક્કરમાં ફસાઓ છો ત્યારે આંખો બંધ કરી લો. પ્રેમી પંખીડાં સમાજના તમામ બંધનોને ફગાવી દેશે અને પોતાના પ્રેમને આખરી અંજામ આપે છે. લવસ્ટોરી બાદ થયેલા લગ્ન સફળ જવાના ચાન્સીસ ઓછા હોવા છતાં આજે પણ લોકો પ્રેમ લગ્નને પ્રાધાન્ય આપે છે. આ માટે એ કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર હોય છે. બાદમાં પરિણામ એનું કંઈપણ આવે. આવો જ એક કિસ્સો બીકાનેર જિલ્લાના લુણ કણસર ગામમાં સામે આવ્યો છે. ગામની 19 વર્ષની એક છોકરીને પોતાની બહેનના દિયર સાથે પ્રેમ થઈ ગયો. બહેનના દિયરના પ્રેમમાં છોકરી એટલી પાગલ થઈ ગઈ કે સમાજના તમામ બંધનો છોડીને બંનેએ ભાગી જઈને આર્યસમાજમાં લવ મેરેજ કરી લીધા. આ અંગેની જાણ પરિવારમાં થઈ તો કોહરામ મચી ગયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લુણકણસરની 19 વર્ષની વિધ્યા કંવરે જણાવ્યું કે તે બિકાનેરમાં પોતાની નાની સાથે એક ભાડાના ઘરમાં રહેતી હતી. 3 વર્ષ પહેલાં તેની બહેનના લગ્ન સુજાનગઢ ગામના બિલંગા ગામમાં થયા હતા. બહેનનો દિયર મહેન્દ્રસિંહ ભાભીને પિયર મૂકવા આવ્યો ત્યારે તેમની વચ્ચે આંખોનો મિલાપ થયો હતો. બંનેએ એક વર્ષ સુધી પરિવારને અજાણ રાખીને મોબાઈલ પર વાતચીતો કરી હતી. વિદ્યાએ પોતાના પરિવારને મહેન્દ્ર સાથે લગ્ન કરાવવા માટે જણાવ્યું તો પરિવારે નનૈયો ભણી દીધો હતો. 


પત્ની કોન્ડોમની પાડતી ના, ઈચ્છતી કે પતિને HIV થઈ જાય તો એનું પાપ છૂપાઈ જાય


 


[[{"fid":"601383","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"relationship_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"relationship_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"relationship_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"relationship_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"relationship_zee2.jpg","title":"relationship_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


પિતા વિદ્યાથી બે ગણી ઉંમરના વ્યક્તિ સાથે કરાવવા માગતા હતા લગ્ન
વિદ્યાએ જણાવ્યું કે મહેન્દ્ર 9મા ધોરણ સુધી ભણેલો છે. એ એક કંપનીમાં સુપરવાઈઝરની નોકરી કરે છે. વિદ્યાએ આરોપ લગાવ્યો છે કે તેના પિતા તેના લગ્ન એક 40 વર્ષની વ્યક્તિ સાથે કરાવવા માગે છે. જે માટે તેને ચોખ્ખી ના પાડી દીધી હતી. આમ છતાં તેના પરિવાર જનો તેની પીઠ પાછળ લગ્નની તૈયારીઓ કરી રહ્યાં હતા. જોકે, એ અંગે તેને ખબર પડી જતાં તે ભાગીને મામાના ઘરે આવતી રહી હતી. વિદ્યાએ પોતાનું ઘર છોડી દીધું હતું. 


4 ઓક્ટોબરના રોજ બંનેએ લગ્ન કરી લીધા
વિદ્યા પરિવારથી બચવા અને લગ્ન ટાળવા સુજાનગઢ તો ભાગીને આવી ગઈ પણ ત્યાં તેને પ્રેમી મહેન્દ્ર મળી ગયો. બંને જણા ત્યાંથી ભાગીને જોધપુર જતા રહ્યાં. જ્યાં બંનેએ આર્યસમાજમાં લગ્ન કરી લીધા. ત્યાર બાદ બંને કોર્ટ પહોંચ્યા હતા. બંનેએ 4 ઓક્ટોબરના રોજ લગ્ન કરી લીધા હતા. જોકે, પરિવાર જનોએ ધમકી આપી કે બિકાનેરની આસપાસ દેખાયા તો જાનથી મારી નાખીશું તો બંને જણા પોલીસ પ્રોટેક્શન માટે એસપી પાસે પહોંચ્યા હતા. આમ પરિવારે મોટી દીકરીના લગ્ન તો એ ફેમિલીમાં કરાવ્યા પણ નાની બહેનના લગ્ન કરાવવા માગતા ન હતા. એથી એને ઘરથી ભાગી જવાનું યોગ્ય માન્યું હતું.


હવે ખાલી ખેતર પણ કરાવશે મોટી કમાણી, સરકાર આપશે 50 ટકા સબસીડી, જલ્દી ઉઠાવો ફાયદો