Tips For Happy Married Life: લગ્ન ખૂબ જ નાજુક અને સુંદર સંબંધ છે. તેને જીવનભર ખુશહાલ બનાવી રાખવા માટે ઘણા બધા પડકારનો સામનો કરવો પડે છે. જે કપલ આ પડકારોમાં કેવી રીતે જીવવું તે જાણતા નથી તેમના લગ્ન જીવનમાં થોડા થોડા દિવસે લડાઈ ઝઘડા થતા રહે છે. મોટાભાગના કપલ એવા હોય છે જેમને એકબીજાથી અનેક ફરિયાદો હોય છે. આ ફરિયાદો અને લડાઈ લાંબા સમય સુધી થાય તો લગ્ન તૂટી પણ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: લગ્નના વર્ષો પછી સંબંધોમાં રોમાંસ જાળવી રાખવાની જાણી લો રીત, ઉંમર સાથે પ્રેમ પણ વધશે


ખૂબ ખૂબ ઓછા કપલ એ વાત જાણે છે કે કેટલાક સરળ કામ રોજ રાત્રે કરી લેવાથી પણ લગ્નજીવનને ખુશહાલ બનાવી શકાય છે. દરેક પતિ-પત્ની સુખી લગ્નજીવન જીવવા જ માંગે છે કોઈ એવું નથી ઇચ્છતું કે તેના જીવનમાં સમસ્યાઓ અને ઝઘડાઓ લાંબા ચાલે. જો તમે પણ તમારા લગ્નજીવનને સુખી બનાવવા માંગો છો તો આ ટીપ્સ તમારા માટે કામની છે. 


આ પણ વાંચો: લગ્ન પછી પુરુષોને બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધવો શા માટે ગમે? આ કારણોથી વધે આકર્ષણ


રાત્રે સુતા પહેલા કરો આ કામ  


જો પતિ પત્નીએ એકબીજા સાથે ખુશ અને સુખી રહેવું હોય તો રોજ રાતે સુતા પહેલા પોતાના પાર્ટનર સાથે વાતચીત કરો. દિવસ દરમિયાન થયેલા અનુભવ એકબીજા સાથે શેર કરો. સાથે જ બીજા દિવસે શું કરવાનું છે તેનું પ્લાનિંગ પણ સાથે મળીને કરો. આમ કરવાથી પાર્ટનરની અપેક્ષાઓ વિશે તમને ખબર પડી જશે અને તમે એકબીજાની મદદ કરી શકશો. 


આ પણ વાંચો: બોલિવૂડના આ ટોચના હીરો છેતરી ચુક્યા છે પત્નીને, લફરાંના કારણે એક હીરોનુ ભાંગ્યું ઘર


ઘણા દિવસો એવા પણ હોય છે જ્યારે પાર્ટનર સાથે ઝઘડો થયો હોય. આવી સ્થિતિમાં રાત્રે સૂતા પહેલા પોતાના પાર્ટનર સાથે વાત કરીને ઝઘડાનું સમાધાન લાવો. મોટાભાગના ઝઘડા ગેરસમજના કારણે થતા હોય છે. જો વાતચીત કરી લેશો તો ગેરસમજ દૂર થઈ જશે અને બીજા દિવસે ફરીથી વાતાવરણ નોર્મલ હશે. તેથી ઝઘડો થયો હોય તો વાત કર્યા વિના સૂઈ જવાનું ટાળો અને ચર્ચા કરીને ઝઘડાનું સમાધાન કરી લો.