Angry Zodiac Signs: કામ, ક્રોધ, લોભ, મોહ, મદિરા અને વાસના વ્યક્તિના જીવનના પાંચ સૌથી મોટા શત્રુ છે. આ પાંચ શત્રુ એવા છે જે કોઈપણ વ્યક્તિને દુશ્મન વિના જ બરબાદ કરી દે. કોઈપણ વ્યક્તિ જો બરબાદ થાય તો તેની પાછળ આ પાંચમાંથી કોઈ એક કારણ જવાબદાર હોય છે. તેમાં પણ શાસ્ત્રમાં કહેવાયું છે કે જે વ્યક્તિ વધારે પ્રમાણમાં ક્રોધ કરે તે પોતાનું જ નુકસાન કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધારે પડતો ગુસ્સો કરવો શારીરિક અને માનસિક બંને રીતે નુકસાન કરે છે. ક્રોધના કારણે વ્યક્તિ પોતાની નિર્ણય કરવાની ક્ષમતા પણ ગુમાવી બેસે છે અને સારા તેમજ ખરાબ વચ્ચેનો ભેદ પણ જાણી શકતો નથી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિના ક્રોધી સ્વભાવ અને તેની રાશિ વચ્ચે સંબંધ હોય છે. રાશિ ચક્રની કેટલીક રાશિના લોકોને ગુસ્સો ઝડપથી આવે છે. આવા લોકો કોઈપણ વાત પર ભડકી જાય છે અને રાયનો પહાડ બનાવીને ઝઘડો કરવા લાગે છે. તો ચાલો તમને જણાવીએ રાશિચક્રની કઈ પાંચ રાશિ છે જે ક્રોધી સ્વભાવની હોય છે.


આ પણ વાંચો: Pukharaj: ધન લાભની સાથે બીમારીઓથી મુક્તિ અપાવે છે પોખરાજ, જાણો પહેરવાથી થતા લાભ વિશે


મેષ રાશિ


મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે અને તે અગ્નિ તત્વની રાશિ છે. આ કારણ છે કે મેષ રાશિના લોકોના સ્વભાવમાં પણ અગ્નિ તત્વ ભારે હોય છે. આ રાશિના લોકો નાની નાની વાતને લઈને ચિંતા પણ મુકાઈ જાય છે અને ઘણી વખત ગુસ્સો પણ કરી બેસે છે. ગુસ્સાના કારણે આ રાશિના લોકો પોતાના નજીકના લોકોને જ દુઃખી કરે છે. 


વૃષભ રાશિ


વૃષભ રાશિના લોકો પણ વધારે ગુસ્સા વાળા હોય છે. એકવાર તે ગુસ્સે થઈ જાય તો તેને શાંત કરવા મુશ્કેલ હોય છે. આ રાશિના લોકો ગુસ્સામાં હોય ત્યારે તેમને જાહેર તરફ અંધકાર જ દેખાય છે.


આ પણ વાંચો: વર્ષ 2024 માં આ 4 રાશિઓ સફળતાના શિખર સર કરશે, ગુરુ ગ્રહ નોકરીમાં કરાવશે પ્રમોશન


મિથુન રાશિ


મિથુન રાશિના લોકો પણ સરળતાથી ગુસ્સે થઈ જાય છે. આ રાશિના લોકો રાયનો પર્વત બનાવીને વિચારે છે જેના કારણે વધારે ગુસ્સે થાય છે. જોકે જેટલી ઝડપથી તે ગુસ્સે થાય છે તેટલી ઝડપથી ખુશ પણ થઈ જાય છે. 


સિંહ રાશિ


સિંહ રાશિના લોકોનો સ્વભાવ રાજા જેવો હોય છે. સિંહ રાશિ પણ અગ્નિ તત્વની છે તેથી તે ઝડપથી ક્રોધિત થઈ જાય છે. એક વખત સિંહ રાશિના લોકોને ગુસ્સો આવી જાય તો આસપાસની કોઈ વ્યક્તિ તેનાથી બચી શકતી નથી. 


આ પણ વાંચો: વર્ષ 2024 માં કયા મહિનામાં કઈ રાશિનો થશે ભાગ્યોદય, જાણી લો વાર્ષિક રાશિફળ પરથી


કર્ક રાશિ


સામાન્ય રીતે કર્ક રાશિના લોકોને ગુસ્સો આવતો નથી પરંતુ જ્યારે ગુસ્સો આવી જાય તો તેને કંટ્રોલ કરવો મુશ્કેલ છે. આ રાશિના લોકોનો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટે છે કારણ કે તેઓ નાની-નાની વાતને મનમાં દબાવે છે અને પછી એક સાથે બહાર કાઢે છે. આ આદતના કારણે કર્ક રાશિના લોકો પોતાને પણ નુકસાન પહોંચાડે છે. 


આ પણ વાંચો: Margi Guru 2023: બસ 28 ડિસેમ્બર સુધી જુઓ રાહ પછી આ 3 રાશિના લોકો રમશે ધનના ઢગલામાં


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)