Garuda Purana: ગરુડ પુરાણમાં વ્યક્તિના જીવન અને મૃત્યુ સંબંધિત ઘણી બધી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગરુડ પુરાણમાં દર્શાવેલા નિયમોનું પાલન કરવામાં આવે તો જીવનની ઘણી સમસ્યાઓને દૂર કરી શકાય છે અને જીવન સુધરી શકે છે. ગરુડ પુરાણમાં લગ્નજીવન સંબંધિત કેટલીક મહત્વની વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ ગરુડ પુરાણમાં એ વિચાર બાબતોને પણ દર્શાવવામાં આવી છે જે ચાર બાબતો ઘરને નરક સમાન બનાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરુડ પુરાણમાં જીવનસાથીની એવી ચાર આદતો વિશે કહેવાયું છે જે વ્યક્તિનું જીવન બરબાદ કરી શકે છે અને ઘરને નરક સમાન બનાવી શકે છે. તો ચાલો તમને પણ જણાવીએ એવી કઈ 4 આદતો છે જે વ્યક્તિનું જીવન બરબાદ કરી શકે છે.


આ પણ વાંચો:


શ્રાવણ મહિનાની પૂનમના દિવસે કરી લેવો આ એક ઉપાય, મોટામાં મોટા દોષનું પણ થશે નિવારણ


તિલક કરવાથી લઈ મંત્ર જાપમાં શા માટે અનામિકા આંગળીનો જ થાય છે ઉપયોગ જાણો


મફતમાં ક્યારેય ન લેવી આ 4 વસ્તુઓ, દાનમાં પણ મળે તો ન લેતાં, છીનવાઈ જશે સુખ-શાંતિ


દુર્વ્યવહાર કરનાર જીવનસાથી


જો તમારો જીવનસાથી તમારું અપમાન કરે અને વારંવાર તમારી સાથે દુર્વ્યવહાર કરે તો આવા જીવન સાથીને તુરંત છોડી દેવા જોઈએ. આવા વ્યક્તિ સાથે જીવન જીવવાથી જિંદગી બરબાદ થઈ જાય છે. 


માતા-પિતાનો અનાદર કરનાર


ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ પોતાના માતા પિતાનું અનાદર કરે અને અપમાન કરે તેવા વ્યક્તિ સાથે પણ એક ઘરમાં રહેવું જોઈએ નહીં કારણ કે આવા વ્યક્તિ સાથે વાદવિવાદમાં જ જીવન પસાર થાય છે.


વિશ્વાસ તોડનાર જીવનસાથી


ગરુડ પુરાણ અનુસાર લગ્ન જીવનનો પાયો વિશ્વાસ હોય છે. જો જીવનસાથી તમારો વિશ્વાસ તોડે અને પર સ્ત્રી સાથે સંબંધ બનાવે તો આવા વ્યક્તિ સાથે જીવન જીવવું નહીં. તેનાથી જીવન બરબાદ થઈ જાય છે.


અપમાનજનક સાથી


જો કોઈ પુરુષ પોતાની પત્નીનું માન સન્માન જાળવે નહીં અને વારંવાર તેનું અપમાન કરે તો આવા વ્યક્તિ સાથે જીવન જીવવું મહિલા માટે નરક સમાન બની શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)