તિલક કરવાથી લઈ મંત્ર જાપમાં શા માટે અનામિકા આંગળીનો જ થાય છે ઉપયોગ જાણો

Astro Tips: પૂજા સંબંધિત આવો જ એક નિયમ છે કે તિલક લગાવવાથી લઈ પૂજાના કોઈપણ કામમાં અનામિકા આંગળીનો જ ઉપયોગ થાય છે. તર્જની આંગળીનો ઉપયોગ થતો નથી. પૂજાના કાર્યો કરવામાં તર્જની આંગળીનો ઉપયોગ કરવો અશુભ માનવામાં આવે છે. 

તિલક કરવાથી લઈ મંત્ર જાપમાં શા માટે અનામિકા આંગળીનો જ થાય છે ઉપયોગ જાણો

Astro Tips: કોઈપણ ધાર્મિક કાર્ય હોય જેમ કે હવન, પૂજા-પાઠ, મંત્ર જાપ વગેરે તેનું વિશેષ મહત્વ હોય છે. આ કાર્યો કરવાથી વ્યક્તિ ઈશ્વરની વધારે નજીક આવે છે. આ કાર્યો કરવાથી જીવનમાં સકારાત્મકતા, સુખ અને સમૃદ્ધિ આવે છે. આ શુભ કાર્યોનું પૂર્ણ ત્યારે જ મળે છે જ્યારે તેને યોગ્ય રીતે કરવામાં આવે. પૂજા-પાઠ, મંત્ર જાપ, હવન વગેરે કાર્ય કરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી થઈ જાય છે.  
 
પૂજા સંબંધિત આવો જ એક નિયમ છે કે તિલક લગાવવાથી લઈ પૂજાના કોઈપણ કામમાં અનામિકા આંગળીનો જ ઉપયોગ થાય છે. તર્જની આંગળીનો ઉપયોગ થતો નથી. પૂજાના કાર્યો કરવામાં તર્જની આંગળીનો ઉપયોગ કરવો અશુભ માનવામાં આવે છે. 

આ પણ વાંચો:

તર્જની આંગળીનો ઉપયોગ ન કરવા પાછળ એક કારણ જવાબદાર છે. કારણ કે આંગળી વ્યક્તિનો અહંકાર દર્શાવે છે. સામાન્ય રીતે વ્યક્તિ પોતાનો અહંકાર અને શક્તિ બતાવવા માટે તર્જનીનો ઉપયોગ કરે છે.  તર્જની આંગળીનો ઉપયોગ બીજાને દોષ આપવા, કોઈનું અપમાન કરવા માટે પણ કરવામાં આવે છે. 

જ્યારે પૂજા-પાઠ અને મંત્ર જાપનો ઉદ્દેશ્ય એવો હોય છે કે વ્યક્તિ તેનો અહંકાર છોડી ભગવાનની નજીક જાય. આ કાર્યો શાંત ચિત્તે કરવાના હોય છે. આ કાર્ય કરતી વખતે મનમાં કોઈ નકારાત્મક લાગણી હોવી જોઈએ નહીં. એટલા માટે કોઈપણ શુભ કાર્યોમાં તર્જનીનો ઉપયોગ થતો નથી.

તિલક લગાવતી વખતે પણ તર્જની આંગળીનો ઉપયોગ કરવો અશુભ માનવામાં આવે છે. તિલક લગાવવું એ સન્માન આપવાનું પ્રતિક છે. તેથી તિલક અંગૂઠા અને અનામિકા આંગળીથી કરવામાં આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news