અંબાજી મંદિરના પ્રખ્યાત મોહનથાળના પ્રસાદમાં વપરાયેલ ઘીના નમૂના ફેલ, કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરાયો
Ambaji Temple Mohanthal : અંબાજીમાં મોહનથાળના પ્રસાદમાં વપરાતા ઘીના સેમ્પલ થયા ફેલ... ફૂડ વિભાગે ભાદરવી પૂનમના મેળા પહેલા લીધા હતા મોહિની કેટરર્સના સેમ્પલ... 31 લાખ પેકેટ પ્રસાદીનું વિતરણ થઈ ગયા બાદ આવ્યા સેમ્પલ....
Ambaji Temple : અંબાજી મંદિરની ઓળખ એટલે મોહનથાળ. મોહનથાળના પ્રસાદને યથાવત રાખવા માટે અનેક લોકો જંગે ચઢ્યા હતા. ત્યારે પ્રસાદને લઈને એક ચોંકાવનારી વાત સામે આવી છે. હવે અંબાજી મંદિરના પ્રસાદ મોહનથાળમાં વપરાયેલ ઘી ના નમૂના ફેલ નીકળ્યા છે. ફૂડ એન્ડ દ્રગ્સ વિભાગે લીધેલ નમૂનાઓમાં ભેળસેળ હોવાનુ સામે આવ્યું છે. મોહનથાળ બનાવાવ માટે શુદ્ધ ઘીની જગ્યાએ ભેળસેળવાળું ઘી વાપર્યું હોવાનું સામે આવ્યું છે. મોહનથાળના ઘીના નમૂના ફેલ નીકળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 15 કિલોના 200 જેટલા ઘીના ડબ્બા ફેલ કર્યા છે. તો જિલ્લા કલેકટરે મંદિરમાં પ્રસાદ બનાવતા કોન્ટ્રાકટરને પણ બ્લેક લિસ્ટ કરાયા છે.
અંબાજીમાંથી ફૂડ વિભાગે લીધેલા ઘીના સેમ્પલ ફેલ થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા ભાદરવી પૂનમના મેળા અગાઉ ફૂડ વિભાગે સેમ્પલ લીધા હતા. અંબાજી મંદિરનો પ્રસાદ બનાવતા મોહિની કેટરર્સમાંથી ઘીના સેમ્પલ લેવાયા હતા. ફુડ વિભાગે જે-તે સમયે 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા. આ ઘીના સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલાયા હતા, જે ફેલ નીકળ્યા છે.
હવામાન વિભાગની મોટી આગાહી : આગામી 1-2 દિવસમાં ચોમાસુ વિદાય લેશે
મોટો ખુલાસો : આતંકીઓના નિશાન પર હતા ગુજરાતના ચાર શહેરો, બ્લાસ્ટ માટે રેકી પણ કરી હતી