હવામાન વિભાગની મોટી આગાહી : આગામી 1-2 દિવસમાં ચોમાસુ વિદાય લેશે

Gujarat Weather Forecast : હવામાન વિભાગે ચોમાસાના વિદાયની તારીખ આપી દીધી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નથી. આજે એકાદ જગ્યાએ વરસાદ રહી શકે, જો કે તેની શક્યતા પણ ઓછી છે. હવેથી ગુજરાતમાં ચોમાસુ વિદાય લેશે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ચોમાસુ વિદાય લઇ રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી 1-2 દિવસમાં ચોમાસુ વિદાય લેશે 
 

1/6
image

ચોમાસુને લઇ હવામાન વિભાગે મોટી સૂચના આપતા જણાવ્યું કે, આગામી 1-2 દિવસમાં ચોમાસુ વિદાય લેશે. હાલ ઓક્ટોબરમાં દિવસનું તાપમાન રહે છે જયારે રાતનું તાપમાન નીચું જાય છે. 

 

2/6
image

આ વર્ષે નવરાત્રિમાં ખેલૈયાઓની સાથે સાથે મેઘરાજા પણ ગરબા રમવા આવશે! જી હા,,, રઢિયાળી રાતમાં ખેલૈયાઓને ભીંજવી નાખશે મેઘરાજા. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે નવરાત્રિમાં મધ્યમ વરસાદની આગાહી આપી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ત્રીજા નોરતાથી સાતમા નોરતા વચ્ચે વરસાદ પડી શકે છે. 17થી 20 ઑક્ટોબરે અંબાલાલ પટેલે વરસાદની આગાહી આપી છે. આ સાથે જ અંબાલાલ પટેલે આગાહી આપી છે કે આ વખતે અલ-નીનોને કારણે શિયાળો 15 દિવસથી 25 દિવસ સુધી મોડો બેસશે.  એટલે કે ભલે ચોમાસું વિદાય લઈ લે અને સત્તાવાર રીતે શિયાળો બેસી જાય. પરંતુ લગભગ 15થી 25 દિવસ સુધી ઠંડીનો અહેસાસ નહીં થાય. 

3/6
image

આ વખતે વરસાદ નવરાત્રિની મજા બગાડી શકે છે. રાજ્યમાં 10 ઑક્ટોબરથી ચોમાસું લેશે વિદાય તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું. સાથે જ તેમણે કહ્યું કે, આ વખતે શિયાળો મોડો બેસશે. પરંતું તેમણે નવરાત્રિમાં આપી વરસાદની આગાહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે લોકોને શિયાળાનો મોડો અહેસાસ થશે. અલ-નીનોની અસરના કારણે વાતાવરણમાં ઠંડક મોડા અનુભવાશે. ચોમાસુ 10 ઓક્ટોબર સુધી વિદાય લેશે. ભેજવાળા વાતાવરણને લઈને બપોરે ગરમી અને સવાર અને સાંજ થોડી ઠંડક અનુભવાશે. અલ નીનોના કારણે સમગ્ર અસર છે. પરંતુ નવરાત્રિના મધ્ય દિવસોમાં વરસાદ રહી શકે છે. 10 ઓક્ટોબરે એક સિસ્ટમ બનવાને લઈને 13 અને 14 ઓક્ટોબરે વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે 17 થી 20 ઓક્ટોબરે વરસાદ રહી શકે છે. 

4/6
image

દેશભરમાંથી હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે, ભાદરવાનો તાપ પોતાનો પ્રકોપ બતાવી રહ્યો છે. હવે રાહ જોવાઈ રહી છે શિયાળાની. જો કે ગજરાતના લોકોએ શિયાળાની શરૂઆત માટે નવેમ્બરના મધ્ય સુધી રાહ જોવી પડે તેમ છે, તો બીજી તરફ વરસાદ નવરાત્રિની મજા બગાડી શકે છે. ઓક્ટોબરની શરૂઆત થઈ ચૂકી છે. વરસાદે પોતાની ઈનિંગ લગભગ પૂરી કરી લીધી છે. હવે પાછોતરા વરસાદની જ સંભાવના છે. સામાન્ય રીતે ઓક્ટોબરના અંતથી દિવસનું તાપમાન ઘટવાની સાથે શિયાળાનું આગમન થઈ જતું હોય છે. જો કે આ વખતે તેની સંભાવના ઓછી છે.

5/6
image

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું માનીએ તો આ વખતે શિયાળાનું આગમન 20 થી 25 દિવસ જેટલું મોડું થવાની શક્યતા છે. તેની પાછળ દેશમાં મોડું બેઠેલા ચોમાસા સહિતના કેટલાક પરિબળો જવાબદાર છે. સામાન્ય રીતે 10 ઓક્ટોબર સુધી રાજ્યમાં દક્ષિણ પશ્વિમના પવનો ફૂંકાય છે, ત્યારબાદ ઉત્તર પૂર્વના પવનોની શરૂઆત થતી હોય છે, આ પવનોને કારણે જ ગુજરાતમાં શિયાળો બેસતો હોય છે. આ વર્ષે ઉત્તરપૂર્વના પવનો સમયસર જ પોતાનું સ્થાન લેશે, જો કે હવામાન નિષ્ણાતોનું માનીએ તો ઉત્તર ભારતમાં હજુ અલ નીનોની અસર હોવાને કારણે શિયાળો 20 દિવસ મોડો એટલે કે 20 નવેમ્બરની આસપાસ બેસે તેવી શક્યતા છે. પણ સારી વાત એ છે કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડી દર વખતની જેમ પોતાનું જોર દેખાડશે.  

6/6
image

જો કે વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે.જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે નવરાત્રિમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેમની આગાહી પ્રમાણે ત્રીજા નોરતાથી સાતમા નોરતા વચ્ચે એટલે કે 17થી 20 ઓક્ટબર સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે. પાછોતરો વરસાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે.