Laung Remedies: રસોડામાં ભોજનનો સ્વાદ વધારવા માટે ઘણા પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ મસાલા માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતા પણ વ્યક્તિના નસીબને ચમકાવવાનું પણ કામ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દુર્ભાગ્યનો નાશ કરવામાં અને ભાગ્યને ઉજ્જવળ કરવામાં રસોડાનાં મસાલાનો મહત્વનો ફાળો છે. આમાંથી એક છે લવિંગ. હા, જ્યોતિષમાં પૂજા દરમિયાન લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. લવિંગનો ઉપયોગ ઉપાયો અને ટોટકામાં પણ મુખ્ય રીતે કરવામાં આવે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ વધારવા માટે જાણો લવિંગના આ ઉપાયો વિશે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લવિંગના અસરકારક ટોટકા 


નકારાત્મકતા દૂર કરવા


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ઘરમાં નકારાત્મકતા વધી રહી હોય તો પૂજા દરમિયાન આરતી કરતી વખતે નિયમિત રીતે દીવામાં 2 લવિંગ નાખો. લવિંગ નાખ્યા પછી આરતી કરો. તેનાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે.


રોગોથી છુટકારો મેળવવા 


જો ઘરનો કોઈ સદસ્ય બીમાર હોય અથવા રોગ લાંબા સમય સુધી પીછો ન છોડી રહ્યો હોય તો 6-7 લવિંગ સળગાવીને ઘરના કોઈપણ ખૂણામાં રાખો. આ ઉપાય 2 થી 4 દિવસ સુધી સતત કરો. બહુ જલ્દી તમે ફરક જોશો.


નાણાકીય કટોકટીમાં સુધારો લાવવા 


મહેનત કર્યા પછી પણ જો તમને તમારી મહેનતનું પૂરું ફળ ન મળી રહ્યું હોય તો તેના માટે 7 લવિંગ અને 7 કાળા મરી લો. આ પછી, તેને તમારા માથા પર ફેરવો. હવે આ બંને વસ્તુઓને એવી જગ્યાએ ફેંકી દો જ્યાં કોઈ ન આવે અને ન જાય. પછી પાછું વળીને ન જોવું. થોડા દિવસોમાં આર્થિક સંકટમાંથી રાહત મળશે.


ખરાબ વસ્તુઓ સુધારવા 


જો કોઈ કામ વારંવાર બગડતું હોય તો એક પાનમાં  લવિંગ, એલચી અને સોપારી લપેટીને ગણેશજીને અર્પણ કરો. આમ કરવાથી બાધાઓ દૂર થશે અને તમારું કામ પૂર્ણ થશે..


(Disclaimer:અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
કેદારનાથમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ, ગમે તેવા કપડા પહેરીને પણ નહિ જઈ શકાય
આ રાજ્યો માટે વરસાદની આગાહી, કાલથી 3 દિવસ મેઘરાજા ગુજરાતના આ વિસ્તારોને ધમરોળશે

મહત્વના કામ માટે જતા હોય ત્યારે ગાયને રોટલીમાં હળદર મુકી ખવડાવી દો, કાર્ય થશે સફળ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube