Chandra Grahan 2023: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મે અને વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે થશે. એટલે કે આ વર્ષે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણથશે. જો કે આ એક છાયા ચંદ્રગ્રહણ હશે જે ભારતમાં દેખાશે નહીં. પરંતુ જ્યોતિષીય દૃષ્ટિકોણથી તેને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. ચંદ્રગ્રહણ શુક્રવાર અને 5 મેના રોજ રાત્રે 08:46 વાગ્યે શરૂ થશે અને મોડી રાત્રે 01:02 વાગ્યે સમાપ્ત થશે. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે રાહુ-કેતુ ચંદ્રને ગળી જવાનો પ્રયાસ કરે છે ત્યારે તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રહણ શરુ થાય તેના 9 કલાક પહેલા તેનો સુતક કાળ શરૂ થાય છે. જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ અશુભ માનવામાં આવે છે. તેથી જ ચંદ્રગ્રહણ દરમિયાન કેટલાક કાર્યો કરવાની મનાઈ હોય છે. શાસ્ત્રો અનુસાર આ સમય દરમિયાન જો કેટલાક મંત્રોનો જાપ કરવામાં આવે તો ગ્રહ દોષની પીડાથી મુક્તિ મળે છે.


આ પણ વાંચો:


બુદ્ધ પૂર્ણિમાના ચંદ્ર ગ્રહણ પર આ રાશિના લોકોની લાગી જશે લોટરી, અચાનક થશે ધનલાભ


સ્મશાનમાં શા માટે પહેરવા સફેદ કપડાં? અંતિમક્રિયામાંથી પરત ફર્યા બાદ ન કરવી આ ભુલ


Surya Gochar: સૂર્ય કરશે રાશિ પરિવર્તન, 30 દિવસ સૂર્યની જેમ ચમકશે આ 5 રાશિનું ભાગ્ય


આ મંત્રોનો કરો જાપ


- ॐ શ્રીં હ્રીં ક્લીં શ્રી સિદ્ધ લક્ષ્મૈ નમ: આ વૈભવ લક્ષ્મી મંત્ર છે. તેનો જાપ 108 વખત કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે. 


- ॐ હ્રીં બગલામુખી સર્વ દુષ્ટાનામ વાચં મુખમ પદમ્ સ્તમ્ભય.. ચંદ્રગ્રહણ દરમિયાન બગલામુખી મંત્રનો જાપ કરી શકાય છે તેનાથી શત્રુઓથી મુક્તિ મળે છે. 


- ચંદ્રગ્રહણમાં શક્ય હોય તેટલા વધુ મંત્ર જાપ કરવા અને ભગવાનને યાદ કરવા. આ સમય દરમિયાન ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર અને અન્ય મંત્રોનો જાપ કરી શકો છો. 


- ચંદ્ર દોષ હોય તો ગ્રહણ દરમિયાન ॐ શ્રીં શ્રીં ચંદ્રમસે નમ: મંત્રનો જાપ કરવો. આમ કરવાથી ચંદ્ર દેવના કષ્ટ ઓછા થાય છે. 


- ચંદ્રગ્રહણ દરમિયાન શિવ ચાલીસાનો પાઠ કરવો તેનાથી ગ્રહણનો દુષ્પ્રભાવ પડતો નથી. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)