Chaturgrahi Yog: વૈદિક જ્યોતિષ અનુસાર ફેબ્રુઆરી મહિનો ખુબ મહત્વપૂર્ણ રહેવાનો છે. કારણ કે આ મહિનામાં રૂચક રાજયોગ, ત્રિગ્રહી યોગ અને ચતુર્ગ્રહી યોજ બનવા જઈ રહ્યાં છે. અહીં અમે ચતુર્ગ્રહી યોગ વિશે વાત કરી રહ્યાં છે, આ યોગ મકર રાશિમાં બનશે. કારણ કે મકર રાશિમાં સૂર્ય, શુક્ર, બુધ અને ચંદ્રમાની યુતિ બનવા જઈ રહી છે. તેવામાં આ ચતુર્ગ્રહી યોગનો પ્રભાવ દરેક જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે, જેનું આ સમયે ભાગ્ય ચમકી શકે છે. આ સાથે અચાનક ધનલાભ થઈ શકે છે. આવો જાણીએ આ રાશિઓ કઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધન રાશિ
ધન રાશિના જાતકો માટે ચતુર્ગ્રહી યોગ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના ધન અને વાણી સ્થાન પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે આકસ્મિક ધનલાભના યોગ બનશે. તો પ્રોફેશનલ લાઇફમાં તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું સારૂ ફળ મળશે અને તમારી કેટલાક પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થઈ શકે છે. સાથે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. 


મેષ રાશિ
ચતુર્ગ્રહી યોગ મેષ રાશિના જાતકોને શુભ ફળ આપી શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના કરિયર અને કારોબાર સ્થાન પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે બેરોજગાર લોકોને નોકરીના પ્રસ્તાવ આવી શકે છે. જો તમે ખુદનો ધંધો કરો છો તો ગોચર કાળમાં તમને સારો લાભ મળશે. તમારી આવક વધવાના અન્ય માર્ગ પણ ખુલશે. તો આ દરમિયાન તમને પૈતૃક સંપત્તિનો લાભ મળશે. 


વૃષભ રાશિ
તમારા માટે ચતુર્ગ્રહી યોગ આવક અને રોકાણની દ્રષ્ટિએ લાભદાયક રહી શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના આવક ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારી આવકમાં વધારો થઈ શકે છે. સાથે આવકના નવા માર્ગ ખુલશે. તો નોકરી કરનાર જાતકોને આ સમયમાં કાર્યક્ષેત્રમાં નવી ઓળખ અને ઊંચુ પદ મળશે. આ સાથે તમને રોકાણથી લાભ થશે. જો તમે શેર બજાર, લોટરી અને સટ્ટામાં રોકાણ કરી શકો છો. સમય અનુકૂળ છે.