Chaturgrahi Yog In Taurus: જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરી ત્રિગ્રહી અને ચતુર્ગ્રહી યોગનું નિર્માણ કરે છે, જેની અસર માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે 31 મેએ ગ્રહોના રાજકુમાર બુધ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાથી સૂર્ય, શુક્ર અને ગુરૂ ગ્રહ સ્થિત છે. તેવામાં આ ગ્રહોની યુતિથી ચતુર્ગ્રહી યોગ બનશે. આ યોગથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમલી શકે છે. તેને ધન-સંપત્તિ અને અન્ય લાભ મળી શકે છે. આવો જાણીએ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિ
તમારા લોકો માટે ચતુર્ગ્રહી યોગનું બનવું લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી લગ્ન ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. સાથે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. નોકરી કરનાર જાતકોને આ સમયમાં મોટી સફળતા મળશે. આ દરમિયાન તમને સારી તક મળી શકે છે. જે લોકો પરીણિત છે તેનું લગ્ન જીવન શાનદાર રહેશે. આ સમયે કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. 


કર્ક રાશિ
ચતુર્ગ્રહી યોગનું બનવુ કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના ઈનકમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારી આવકમાં વધારો થઈ શકે છે. સાથે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. આ દરમિયાન નોકરી કરનાર જાતકોનું પ્રમોશન થઈ શકે છે. સાથે જે વેપારી વર્ગ છે તેને ધનલાભ થઈ શકે છે. રોકાણથી પણ લાભનો યોગ છે. જે લોકો શેર બજાર, સટ્ટા અને લોટરીમાં રોકાણ કરવા ઈચ્છે છે તેના માટે સમય લાભકારી છે.


આ પણ વાંચોઃ જૂનમાં એક સાથે બે ગ્રહોનો મિથુન રાશિમાં પ્રવેશ, આ જાતકોને મળશે ભરપૂર ફાયદો


મેષ રાશિ
તમારા લોકો માટે ચતુર્ગ્રહી યોગનું નિર્માણ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી ધન અને વાણી ભાવ પર બની રહ્યો છે. તેથી આ સમયે તમને અચાનક ધનની પ્રાપ્તિ થશે. સાથે સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થશે. આ સમયે અટવાયેલા ધનની પ્રાપ્તિ થશે. તમારી વિચારેલી યોજનાઓ પણ આ ગાળામાં સફળ થઈ શકે છે. તમારી નાણાકીય સ્થિતિમાં સુધાર જોવા મળશે. જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ સમયે તમારી વાણીમાં સુધાર આવશે, જેનાથી લોકો પ્રભાવિત થશે. 


ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.