Surya Gochar 2023: સૂર્ય ઉર્જા અને શક્તિ પ્રદાન કરે છે. સૂર્ય વ્યક્તિની ઈચ્છા શક્તિ, ચેતના અને ભાવનાઓને પ્રભાવિત કરે છે. સૂર્ય વિશ્વને ઉર્જા આપે છે. તેના કારણે જ પૃથ્વી પર જીવન શક્ય છે. આ જ કારણ છે કે તેમને ગ્રહોના રાજા પણ કહેવાય છે. સૂર્ય સૌથી પ્રભાવશાળી ગ્રહ છે તેથી જ જ્યારે તે રાશિ પરિવર્તન કરે છે તો તેની અસર બધી જ રાશિઓને થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

17 સપ્ટેમ્બર 2023 ના રોજ સવારે 7 કલાક અને 11 મિનિટે સૂર્ય પોતાની સ્વરાશિ સિંહમાંથી નીકળી અને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના આ રાશિ પરિવર્તનથી ચાર રાશિના લોકોનો સમય બદલી જવાનો છે. તો ચાલો તમને જણાવીએ આચાર રાશિ કઈ છે અને તેમને સૂર્યના રાશિ પરિવર્તનથી કેવા લાભ થવાના છે.


સૂર્યના રાશિ પરિવર્તનથી આ 4 રાશિઓને થશે ફાયદો


આ પણ વાંચો:


મેષ સહિત આ 5 રાશિઓને ફળશે સપ્ટેમ્બર મહિનો, 30 દિવસમાં ધન વૃદ્ધિ યોગના કારણે થશે લાભ


બુદ્ધિશાળી હોય છે આ 5 રાશિના લોકો, ભણવામાં હોય નંબર વન, ઓફિસમાં પણ રહે છે ટોપ પર


30 વર્ષ પછી જન્માષ્ટમી પર બનશે દુર્લભ સંયોગ, આ ઉપાય કરવાથી તમે બની શકો છો કરોડપતિ


વૃષભ રાશિ


જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવા વિદેશ જવા માંગે છે તેમની ઈચ્છા આ સમય દરમિયાન પૂરી થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સૌથી વધારે અનુકૂળ રહેવાનો છે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસમાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત સામે આવશે અને આર્થિક સ્થિતિ સુધરશે.


કર્ક રાશિ


સૂર્યના રાશિ પરિવર્તનથી વેપારમાં પ્રગતિ થશે. આ સમય દરમિયાન આવક સારી રહેશે અને આત્મવિશ્વાસ પણ વધશે. આ રાશિના જે લોકો લેક્ચરર કન્સલ્ટન્ટ સલાહકાર કે મીડિયા રિપોર્ટર છે તેમને નોકરીમાં ફાયદો થવાનો છે. આ સમય દરમિયાન યાત્રા પર જઈ શકો છો.


વૃશ્ચિક રાશિ


કન્યા રાશિમાં સૂર્યના પ્રવેશથી નોકરી વેપારમાં સૌથી વધુ ફાયદો થશે. કાર્યસ્થળ પર પગાર વધારો અને પ્રમોશન મળી શકે છે. સરકારી કામોમાં પણ ફાયદો થશે. કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓ સામે માન સન્માન વધશે.


મકર રાશિ


પરિવારના સભ્યો સાથે તીર્થયાત્રા પર જવાની યોજના બની શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય ફાયદાકારક. સૂર્યના રાશિ પરિવર્તનથી બચતમાં વધારો થશે. સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે રવિવારે મંદિરમાં દાડમનું દાન કરવું.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)