Shukra Gochar : આજે મેષ રાશિમાં શુક્રનું ગોચર થવાથી ગજલક્ષ્મી રાજયોગ અને સાથે શુક્ર આદિત્ય રાજયોગ પણ બની રહ્યો છે. આ અગાઉ આ યોગ બરાબર 24 વર્ષ પહેલા 2000માં મેષ રાશિમાં બન્યો હતો. આ યોગ બનવો એટલે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે કારણ કે હાલમાં શનિ પોતાની સ્વરાશિમાં છે અને રાજયોગ બની રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાંચ રાશિવાળાના જીવનમાં ખુશહાલી આવશે


આ ગ્રહ સ્થિતિઓ વચ્ચે બનનારો ગજલક્ષ્મી રાજયોગ અને શુક્ર આદિત્ય યોગના પ્રભાવથી મેષ સહિત 5 રાશિઓને બિઝનેસ, નોકરી કરિયર, કૌટુંબિક લાઈફ અને આર્થિક મામલે જબરદસ્ત લાભ મળી શકે છે. ગજલક્ષ્મી રાજયોગ, શુક્રાદિત્ય રાજયોગથી પાંચ રાશિવાળાના જીવનમાં ખુશહાલી આવશે. જાણો તે લકી રાશિઓ વિશે...


મેષ રાશિ
મેષ રાશિવાળાના લગ્ન ભાવમાં ગજલક્ષ્મી રાજયોગ બને છે. આ રાજયોગના પ્રભાવથી મેષરાશિવાળાના જીવનમાં ખુશીઓ આવશે. દરેક ક્ષેત્રમાં સફળતા મેળવશે. સમાજમાં માન સન્માનમાં વધારો થશે. તમને કોઈ પ્રતિષ્ઠિત પદ મળી શકે છે. જે લોકો વેપાર કરે છે તેમને ખુબ લાભ થશે. સારો એવો નફો થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય વિતાવશો. તમારા લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે માતા પિતાનો પૂરેપૂરો સહયોગ મળશે. 


કર્ક રાશિ
કર્ક રાશિવાળા માટે ગજલક્ષ્મી રાજયોગ દશમ ભાવમાં બને છે. દશમ ભાવ કર્મ  ભાવ હોય છે. ગજલક્ષ્મી રાજયોગ અને શુક્ર આદિત્ય રાજયોગ કર્ક રાશિવાળા માટે કોઈ વરદાનથી કમ થી. આવા લોકોને ભૌતિક સુખ સુવિધાઓ મળશે. જીવનના દરેક પહેલુમાં સફળતા મળશે. નોકરીયાતોને પદોન્નતિ અને વેતનવધારો થવાની સંભાવા છે. આ સમયગાળો કરિયરમાં પ્રગતિ માટે રહેશે. પરિવાર સાથે સારો સમય વિતાવવાની તક મળશે. 


સિંહ રાશિ
આ રાશિના 9માં ભાવ એટલે કે ભાગ્ય ભાવમાં યોગ બની રહ્યો છે. તમે તમારી જાતને ભાગ્યશાળી સમજજો. કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. પિતા અને પૈતૃક સંપત્તિનો લાભ થઈ શકે છે. ઉચ્ચ શિક્ષણના પ્રબળ યોગ છે. જે લોકો વિદેશ જઈને અભ્યાસ કરવા માંગે છે કે નોકરી કરવા માંગે છે તેમને સફળતા મળી શકે છે. બેંક બેલેન્સમાં તગડો વધારો થશે. શુભ કાર્યો પર ધન ખર્ચાશે. 


તુલા રાશિ
આ રાશિવાળાના સપ્તમ ભાવમાં ગજલક્ષ્મી રાજયોગ બને છે. આવામાં તુલા રાશિના જાતકોને ગજલક્ષ્મી અને શુક્ર આદિત્ય રાજયોગના પ્રભાવથી વેપાર અને નોકરીમાં ઉન્નતિ થશે. આવકના નવા નવા સ્ત્રોત બનશે. સહકર્મીઓ અને સહયોગીઓનું પૂરેપૂરું સમર્થન મળશે. પ્રોગ્રેસની સારી તકો મળશે જેથી ખુબ લાભ થશે. 


ધનુ રાશિ
ધનુ રાશિવાળા માટે ગજલક્ષ્મી રાજયોગ ખુબ ફાયદાકારક સાબિત થશે. આ સમયગાળામાં ધનુ રાશિના જાતકો બે બે રાજયોગના પ્રભાવથી જીવનમાં આવનારી મુશ્કેલીઓ દૂર કરવામાં સફળતા મેળવશે. લક્ષ્મીદેવીની કૃપાથી તમને દરેક કામમાં ભાગ્યનો ભરપૂર સાથ મળશે. એક નાનકડો પ્રયત્ન પણ તમને ઘણું બધુ મેળવવામાં મદદ કરશે. અપ્રત્યાશિત અને અચાનક ધનલાભ થવાની શક્યતા છે. જેના કારણે જાતક ભવિષ્ય માટે પોતાના પૈસા બચાવવામાં સક્ષમ રહેશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube