નવી દિલ્હીઃ દેવગુરૂ બૃહસ્પતિને જ્યોતિષમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે. દેવગુરૂ બૃહસ્પતિની કૃપાથી વ્યક્તિનો ભાગ્યોદય થાય છે. દેવગુરૂ બૃહસ્પતિને જ્ઞાન, સંતાન, મોટા ભાઈ, શિક્ષણ, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થળ, ધન, દાન, પુણ્ય અને વૃદ્ધિ વગેરેનો કારક ગ્રહ કહેવામાં આવે છે. બૃહસ્પતિ ગ્રહ 27 નક્ષત્રમાં પુનર્વસુ, વિશાખા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી હોય છે. દેવગુરૂ બૃહસ્પતિએ 22 એપ્રિલના મેષ રાશિમાં પ્રવેશ કર્યો અને વર્ષ 2023માં મેષ રાશિમાં રહેશે. જ્યોતિષ ગણનાઓ અનુસાર ગુરૂ ગ્રહ મેષ રાશિમાં રહીને કેટલાક જાતકો પર વિશેષ કૃપા કરી રહ્યાં છે. આ રાશિના જાતકો માટે વર્ષ 2023 સુધીના અંત સુધીનો સમય શુભ રહેશે. આવો જાણીએ 2023ના અંત સુધી ગુરૂની કઈ રાશિ પર કૃપા રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
ધન લાભ થશે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે.
વ્યવસારમાં લાભનો યોગ બનશે.
ભાઈ-બહેન પાસે મદદ મળી શકે છે.
સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે.
માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે.
જીવનસાથીની સાથે સમય પસાર કરવાની તક મળશે.
કાર્યોમાં સફળતાનો યોગ બની રહ્યો છે. 
ભાગ્યનો સાથ મળશે.
નોકરી તથા વેપાર માટે સમય શુભ રહેશે.
તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા થશે.
પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાનો અવસર મળશે.
દાંપત્ય જીવન સુખમય રહેશે.
પરિવારમાં શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. 


મિથુન રાશિ
નોકરી અને વેપાર માટે સમય શુભ છે
માન-સન્માન મળશે.
કાર્યોમાં સફળતા મળશે.
લગ્ન જીવન સુખમય રહેશે.
પરિવારના સભ્યો સાથે સમય પસાર કરશો.
તમને શુભ પરિણામની પ્રાપ્તિ થશે.
નોકરી શોધી રહેલા લોકોને શુભ સમાચાર મળી શકે છે.
પ્રમોશન કે આર્થિક લાભનો યોગ બનશે.
કોઈ કામની શરૂઆત માટે ગોચર લાભકારી રહેશે.
લેતી-દેતી માટે સમય શુભ છે. 


આ પણ વાંચોઃ ત્રણ દિવસ બાદ મંગળ-શુક્રની યુતિ, આ પાંચ રાશિના જાતકોને થશે ભાગ્યોદય


સિંહ રાશિ
આ દરમિયાન પારિવારિક સંબંધમાં મધુરતા વધશે.
નોકરી શોધી રહેલાં લોકોને સારા સમાચાર મળી શકે છે.
આત્મવિશ્વાસમાં વધારો થશે.
દાંપત્ય જીવન સુખમય રહેશે.
ધન લાભ થશે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે.
ધન સાથે જોડાયેલા મામલામાં સફળતા મળશે.
સમાજમાં માન-સન્માન વધશે.
પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે.
રોકાણથી લાભ થશે.


ધન રાશિ
આ દરમિયાન તમને નોકરી તથા વેપારમાં શુભ ફળોની પ્રાપ્તિ થશે.
નોકરીમાં પ્રમોશનનો યોગ બનશે.
ખર્ચ પર કાબુ રાખો.
પારિવારિક જીવનમાં ખુશી રહેશે.
આર્થિક મોર્ચા પર પણ સૂર્યનું રાશિ પરિવર્તન તમારા માટે લાભકારી સાબિત થશે.
આ દરમિયાન તમે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો.
કાર્યસ્થળ પર તમારૂ માન-સન્માન વધશે.
આર્થિક સ્થિતિ પહેલાં કરતા સારી થશે.
સ્વાસ્થ્યમાં સુધાર થશે.
લગ્ન જીવન સુખદ રહેશે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube