નવી દિલ્હીઃ Guru Shukra Yuti in Vrish: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય બાદ પોતાનું રાશિ પરિવર્તન કરે છે. આ ગ્રહોના રાશિ પરિવર્તનનો પ્રભાવ દરેક જાતકો પર પડે છે. કોઈ માટે તે શુભ હોય છે તો કોઈએ સમસ્યાનો સામનો કરવો પડે છે. જ્યોતિષ ગણના અનુસાર ગુરૂ ગ્રહ અને શુક્ર ગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. તમને જણાવી દઈએ કે વૃષભ રાશિમાં શુક્ર અને ગુરૂનું મિલન વર્ષો બાદ થવા જઈ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 રાશિઓને જોરદાર ફાયદો
વૃષભ રાશિમાં આ બંને ગ્રહોની યુતિ ત્રણ જાતકો માટે શુભ માનવામાં આવી રહી છે. તેનાથી આ જાતકોને ધનલાભ થશે અને પ્રગતિ કરશે. આવો આ રાશિઓ વિશે જાણીએ.


આ પણ વાંચોઃ રામનવમી પર ગુરૂ બદલશે ચાલ, 4 જાતકોને થશે બમ્પર લાભ, રાજા સમાન જીવશે જીવન


1. મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે ગુરૂ અને શુક્રનું મિલન સૌથી વધુ ફાયદાકારક હશે. તેનાથી મેષ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળશે. આ સમયે ધનલાભનો પણ પ્રબળ યોગ બનશે. અટવાયેલા નાણા પરત મળી શકે છે. નોકરી કરી રહેલા લોકોથી બોસ ખુશ થઈ શકે છે અને તમારા કામને જોતા પગાર વધારી શકે છે. વેપારીઓ માટે આ સમય સારો રહેશે, રોકાણ માટે સમય અનુકૂળ હશે, તમને રિટર્ન શાનદાર મળી શકે છે.


2. વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે આ ગ્રહોનું મિલન ખુબ સારૂ માનવામાં આવી રહ્યું છે. પરિવાર સાથે સંબંધમાં મધુરતા આવશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિનો યોગ છે, નોકરી કરનાર જાતકોનો પગાર વધી શકે છે. જે લોકોના લગ્ન થયા નથી તેની માટે સંબંધ આવી શકે છે. પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલો વિવાદ દૂર થશે. ઘરના સભ્યો સાથે વાતાવરણ સારૂ રહેશે.


આ પણ વાંચોઃ અક્ષય તૃતીયા પર બની રહ્યાં છે સૌભાગ્યશાળી યોગ, મા લક્ષ્મી આ 5 જાતકોને ધનલાભ કરાવશે


3. સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે શુક્ર અને ગુરૂનો સંયોગ કરિયરમાં ખુબ સફળતા અપાવશે. સમાજમાં માન-સન્માન વધશે. શુક્રની કૃપાથી સુખ-સુવિધામાં વધારો થશે. તમારી આવક વધી શકે છે. કાર્યોમાં ભાગ્યનો સાથ મળશે. અટવાયેલા કામ પૂરા થશે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. જે લોકોના લગ્ન જીવનમાં સમસ્યા છે તેના માટે આ સમય સારો છે. પાર્ટનરનો સાથ મળશે અને બંને કોઈ જગ્યાએ ફરવા જઈ શકે છે. 


ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.