Lucky Plants for Career: જીવનમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે જે પણ ધંધો કરે, તેને તેમાં ઘણી સફળતા મળે. પરંતુ દરેકનું આ સપનું પૂરું થતું નથી. જો તમે પણ નિષ્ફળતાના તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોવ તો નિરાશ ન થાઓ. વાસ્તુશાસ્ત્રમાં એવા 3 ચમત્કારિક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને તમારા ટેબલ પર રાખવાથી તમારા ભાગ્યના બંધ દરવાજા ખુલી શકે છે. ચાલો જાણીએ કઈ છે આ 3 વસ્તુઓ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાના સિક્કાઓથી ભરેલું જહાજ
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમને સારું અપ્રેઝલ નથી મળી રહ્યું અથવા પ્રમોશન લાંબા સમયથી અટક્યું છે, તો તમે તમારા ટેબલ પર સોનાના સિક્કાઓથી ભરેલું જહાજ રાખવાનું શરૂ કરી શકો છો. આમ કરવાથી માત્ર પ્રમોશનની શક્યતાઓ જ નહીં, પરંતુ પગારમાં પણ બમ્પર વધારો થવાની સંભાવના છે.


ટેબલ પર વાંસનો છોડ
વાસ્તુ નિષ્ણાતોના મતે ટેબલ પર વાંસનો છોડ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે લોકો પોતાના ટેબલ પર વાંસનો છોડ રાખે છે, તેમનું નસીબ ચમકતા વાર નથી લાગતી. જો આવો છોડ કોઈ વ્યક્તિ તરફથી ભેટમાં મળે તો તે વધુ ભાગ્યશાળી બને છે. તેનાથી જીવનની તમામ આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે.


ક્રેસુલાનો છોડ
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ટેબલ પર ક્રેસુલાનો છોડ રાખવાથી પણ સફળતા મળે છે. તે છોડ રાખવાથી કારકિર્દીમાં પ્રગતિ તો થાય જ છે, પરંતુ ધનના આગમનની સંભાવના પણ બને છે. આ પ્રકારના ઇન્ડોર પ્લાન્ટને બહુ ઓછા પાણીની જરૂર પડે છે. કરિયરમાં સફળતા માટે આવા છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)