Ketu Gochar: જ્યોતિષીય દ્રષ્ટિથી જોવામાં આવે તો કેતુને માયાવી ગ્રહ માનવામાં આવે છે. કેતુ ધીમી ગતિમાં ગોચર કરે છે. પાછલા વર્ષે કેતુએ ઓક્ટોબરમાં કન્યા રાશિમાં ગોચર કર્યું હતું. આવનારા 286 દિવસ કેતુ કન્યા રાશિમાં બિરાજમાન રહેશે. કેતુ હંમેશા ઊલટી ચાલમાં ગોચર કરે છે. 2025માં ઊલટી ચાલ ચાલતા કેતુ સિંહ રાશિમાં પ્રવેશ કરી જશે. કેતુના કન્યા રાશિમાં બિરાજમાન રહેવાથી કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે. તો કેતુ કેટલાક માટે અશુભ સાબિત થશે. આવો જાણીએ આગામી 286 દિવસ કઈ રાશિ માટે કેતુ શુભ રહેવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ક રાશિ
286 દિવસ સુધી કેતુની સ્થિતિ કર્ક રાશિના જાતકો માટે લાભદાયક માનવામાં આવી રહી છે. આ સમય કોઈ નવું કાર્ય શરૂ કરવા માટે શુભ રહેશે. ભાઈ-બહેનોના સંબંધમાં આવેલી ખટાસ દૂર થવા લાગશે. નાણા સાથે જોડાયેલા મામલાનો ઉકેલ આવી જશે. પરિવારના લોકોની સાથે કોઈ યાત્રાએ જઈ શકો છો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન જરૂર રાખો.


મેષ રાશિ
286 દિવસ સુધી કેતુની ચાલ મેષ રાશિના જાતકો માટે શુભ રહેશે. તેવામાં મેષ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી થશે. જીવન સાથીની સાથે સંબંધ સારો રહેશે. તો વેપારમાં એવી યોજનાઓ બનાવવી જોઈએ, જે લાંબા સમય સુધી તમને લાભ આપી શકે. પરિવારની સાથે સારો સમય પસાર થશે. 


આ પણ વાંચોઃ 1 વર્ષ બાદ બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ, 3 જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ, થશે લાભ


વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે કેતુનું આ ગોચર શુભ માનવામાં આવી રહ્યું છે. બિઝનેસમાં કોઈ સારી ડીલ થઈ શકે છે. કેતુના શુભ પ્રભાવથી અટવાયેલા કામ થશે. ધન આગમનનો યોગ પણ બની રહ્યો છે. તો તમારે ખોટા ખર્ચાથી બચવું જોઈએ. તમારા સ્વાસ્થ્ય અને માતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને તણાવથી દૂર રહો. 


ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લો.