Shukravar Dhanprapti Upay: શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી ને સમર્પિત છે. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા જીવનમાં રહે છે અને સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. એ વાત તો સૌ કોઈ જાણે છે કે જે વ્યક્તિ ઉપર માતા લક્ષ્મીની કૃપા હોય તે જ સુખ શાંતિથી જીવન જીવી શકે છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી જ વ્યક્તિના જીવનમાંથી પૈસાની તંગી દૂર થાય છે અને ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. તેવામાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવાયા છે. આ ઉપાયો શુક્રવારના દિવસે કરવાથી તુરંત ફળ મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


તુલસીના છોડ પાસે ભુલથી પણ ન રાખતા આ 5 વસ્તુ, ઘરમાં વધે છે દરિદ્રતા


Lucky Stone: આ 4 રાશિ માટે મોતી પહેરવાનું શુભ માનવામાં આવે છે, જાણો પહેરવાની રીત


માર્ચ મહિનામાં 4 ગ્રહોનું થશે રાશિ પરિવર્તન, 3 રાશિના લોકોને થશે ધનલાભ


ધન પ્રાપ્તિના અચૂક ઉપાય


1. શુક્રવારના દિવસે ગાયને ઘરમાં બનેલી પહેલી રોટલી ખવડાવો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ક્યારેય પૈસાની ખામી નહીં થવા દે. 


2. આર્થિક તંગી થી પરેશાન લોકોએ શુક્રવારના દિવસે મહાલક્ષ્મી માતાની પૂજા કરીને શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ. સાથે જ કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને સૌભાગ્યનો સામાન આપવો જોઈએ.


3. આર્થિક નુકસાનમાંથી બહાર આવવા માટે અને ધન લાભ થાય તે માટે શુક્રવારના દિવસે બાર કોડી બાળી અને તેની રાખ બનાવી લેવી. આ રાખને લીલા કપડામાં બાંધીને જળમાં પ્રવાહિત કરી દેવી. આ ઉપાય કરવાથી આર્થિક સ્થિતિ સુધરવા લાગશે.