Mahashivratri 2023 Upay: ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અનેક ઉપવાસ કરવામાં આવે છે, પરંતુ દર વર્ષે આવતી મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસ શિવભક્તો માટે ખૂબ જ ખાસ છે. આ દિવસે મહાદેવ અને મા પાર્વતીની વિધિપૂર્વક પૂજા કરવાથી ભક્તોના તમામ કષ્ટ દૂર થાય છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 18 ફેબ્રુઆરી એટલે કે આજે ઉજવવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં જ્યોતિષમાં કેટલાક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી ભક્તના મનની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાશિવરાત્રી પર કરો આ ઉપાય


- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રી પર શિવલિંગ પર શુદ્ધ જળથી અભિષેક કરો. આ દરમિયાન શિવલિંગ પર જળ ચઢાવતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ પછી ભગવાન શિવની સામે 11 દીવા પ્રગટાવો અને તમારી ઈચ્છા કહો. આનાથી ભોલેનાથ તમારી દરેક મનોકામના જલ્દી પૂર્ણ કરશે.


- લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે શિવરાત્રીના દિવસે દૂધમાં કેસર મિક્સ કરીને શિવલિંગ પર અભિષેક કરો. સાથે જ મા પાર્વતીને લાલ રંગના ફૂલ ચઢાવો તેનાથી દરેક સમસ્યાઓ દૂર થશે.


- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રિ પર 21 બીલીપત્ર તોડીને તેને શુદ્ધ પાણીથી ધોઈ લો અને તેના પર ચંદનથી ઓમ નમઃ શિવાય લખો. હવે આ પત્રો શિવલિંગ પર ચઢાવો. આ ઉપાય કરવાથી ભગવાન શિવના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે.



આ પણ વાંચો:
ભોલેનાથના આ મંદિરોની મુલાકાત નથી લીધી તો તમે શિવના નથી સાચા ભક્ત
કચ્છમાં હાથ લાગ્યું પૃથ્વી પરનું દુર્લભ તત્વ! કેન્સરના દર્દીઓ માટે બનશે આશીર્વાદરૂપ
બળાત્કારી આસારામ ગુજરાતમાં હજુ પણ ભગવાન, શાળામાં નાના બાળકોના હાથે ઉતારાઈ આરતી


- શાસ્ત્રો અનુસાર ભગવાન શિવનું વાહન નંદી છે. મહાશિવરાત્રીના દિવસે નંદીને ચારો ખવડાવવો જોઈએ. ગૌશાળામાં દાન કરવુ જોઈએ. આના કારણે જીવનમાં હંમેશા સુખ-સમૃદ્ધિ બની રહે છે.


- મહાશિવરાત્રીના દિવસે જરૂરિયાતમંદોને અનાજ દાન આપવુ ખુબ શુભ માનવામા આવે છે. આ દિવસે ગરીબોને ભોજન કરાવો. આ ઉપાય કરવાથી મા અન્નપૂર્ણાની કૃપા તમારા પર બની રહેશે.


- આજે તાંબાના વાસણમાં શુદ્ધ પાણીમાં કાળા તલ ભેળવીને શિવલિંગ પર અભિષેક કરવાથી શનિ દોષથી મુક્તિ મળે છે. 


- મહાશિવરાત્રીના ખાસ દિવસે અંગૂઠાના કદનુ પારદ શિવલિંગ લાવીને વિધિ-વિધાનથી પૂજા કરો અને ઘરના મંદિરમાં સ્થાપિત કરો. તેનાથી તમારી આવકમાં વધારો થશે.


આ પણ વાંચો:
MBBSમાં પ્રવેશ અપાવવાનું આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ, મોડસ ઓપરેન્ડી જાણી ગોથે ચઢશો!
રાશિફળ 18 ફેબ્રુઆરી: આજે મહાશિવરાત્રી, આ રાશિના જાતકો પર ભોલેનાથની અપાર કૃપા રહેશે
એક એવું શિવ મંદિર જ્યાં શિવરાત્રીએ શિવ નહીં પણ થાય છે શક્તિની પુજા, રાજવી પરીવાર...'


- મહાશિવરાત્રિ પર ઘઉંના લોટમાંથી 11 શિવલિંગ બનાવીને શુદ્ધ જળથી અભિષેક કરો. ધ્યાન રાખો કે આ શિવલિંગની સાઈઝ અંગૂઠાથી વધુ ન હોવી જોઈએ. અભિષેક કર્યા પછી આ શિવલિંગને નદીમાં પધરાવી દો.


- શિવરાત્રીની રાત્રે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ દીવા પ્રગટાવો અને સુખ-સમૃદ્ધિ માટે ભોલેનાથની પ્રાર્થના કરો. આ ઉપાય કરવાથી ભગવાન શિવની કૃપા હંમેશા તમારા પર બની રહેશે.


- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વિવાહિત જીવનમાં સુખ મેળવવા માટે શિવરાત્રીના દિવસે શિવ મંદિરમાં જઈને માતા પાર્વતીને સુહાગ સામગ્રી અર્પણ કરો. બાદમાં તે બ્રાહ્મણ અથવા કોઈ સ્ત્રીને આપી દો. તેનાથી તમારું લગ્નજીવન સુખી રહેશે.


( અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube