એક એવું શિવ મંદિર જ્યાં શિવરાત્રીએ શિવ નહીં પણ થાય છે શક્તિની પુજા, રાજવી પરીવાર સાથે છે કનેક્શન

શિવરાત્રી એટલે ભોળાનાથને રીઝવવાનો દિવસ પણ અહી નર્મદા જિલ્લામા મહાશિવરાત્રીનીથી શિવ નહીં પણ શક્તિની આરાધના સમો પાંડોરી માતાનો પાંચ દિવસનો મેળો ભરાય છે અને અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, મઘ્યપ્રદેશ અને રાજસ્થાનથી આદિવાસીઓ આવે છે.

એક એવું શિવ મંદિર જ્યાં શિવરાત્રીએ શિવ નહીં પણ થાય છે શક્તિની પુજા, રાજવી પરીવાર સાથે છે કનેક્શન

ઝી બ્યુરો/નર્મદા: આમ તો શિવરાત્રીએ શિવની પુજા થતી હોય છે, પરંતુ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ દેવમોગરા ખાતે શિવ નહીં પણ શક્તિની પુજા થાય છે. અહીં પાંડોરી માતાના 5 દિવસ ચાલનારા મેળામા ગુજરાત સહીત ચાર રાજયોમાંથી લાખો આદિવાસી શ્રદ્ધાળુઓ આવે છે અને બાઘા આખળી પુરી કરે છે. 

શિવરાત્રી એટલે ભોળાનાથને રીઝવવાનો દિવસ પણ અહી નર્મદા જિલ્લામા મહાશિવરાત્રીનીથી શિવ નહીં પણ શક્તિની આરાધના સમો પાંડોરી માતાનો પાંચ દિવસનો મેળો ભરાય છે અને અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, મઘ્યપ્રદેશ અને રાજસ્થાનથી આદિવાસીઓ આવે છે અને કુળદેવી પાંડોરી માતાને નમન કરે છે, બાઘા આખળીપુરી કરે છે. ઇ.સ. પુર્વે સન 1085માં અહીં સાગબારાના રાજવી પરિવાર દ્વારા આ મંદિર બનાવી પુજન કર્યા બાદ આજ સુધી રાજવી પરીવાર દ્વારા જ અહીં શિવરાત્રીએ પુજનકરાય છે. પરંતુ સન 1983થી વ્યવ્સ્થાના ભાગ રૂપે એક ટ્રસ્ટ બનાવાયુ છે.

ભારતભરમાં આઠ ટકા વસ્તી આદિવાસીની છે. તેમાંય ગુજરાતમાં વસતા 15 ટકા તથા ભારતભરના આદિવાસીએાની કુળદેવીમાં પાંડોરી હોવાથી પાંચ દિવસ ચાલનારા આ મેળામા આદિવાસીઓની સંખ્યા અગણિત હોય છે અને સ્વયં શિસ્તમા માન નારાઆ લોકો 12 થી 48 કલાક લાઇનમાં ઉભા રહીને પણ માતાના દર્શન કરે છે. નૈવેઘમા આ લોકો નવા વાંસમાંથી બનાવેલી ટોપલીમા નવુ ઉગેલુ અનાજ, બકરો, મરઘી અને દેશી દારૂ સહિત જે માન્યતા માની હોય તે લઇને પરંપરાગત પુજન કરે છે અને પ્રસાદરૂપે મળેલ ચીજને બારેમાસ અનાજના કોઠારમા સાચવી રાખે છે.

અડગ શ્રધ્ધા ધરાવતા આદિવાસીએા માને છે કે ચોમાસા પછી તરત જ આવતા આ મેળામા ધન ધાન્ય કે જે માનતા માની હોય તે ચીજ ચઢાવવાથી બારેમાસ સુખસમૃધ્ધી મળે છે અને તેને કારણે જ દુરદુરથી આદિવાસીઓ દર વર્ષે અહીં આવી માનતા પુરી કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news