Mangal Nakshatra Gochar: ઉર્જા, સાહસ, પરાક્રમ, ઈચ્છા શક્તિ અને નેતૃત્વના ગુણનો કારક મંગળ ગ્રહ જ્યારે રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તન કરે છે તો દરેક વ્યક્તિના જીવન પર તેની અસર જોવા મળે છે. ગ્રહોમાં મંગળને સેનાપતિ માનવામાં આવે છે. મંગળના નક્ષત્ર પરિવર્તનથી પણ મોટી ઊથલપાથલ સર્જાતી હોય છે. આવું જ નક્ષત્ર પરિવર્તન મંગળ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિવાર અને 27 જુલાઈએ મંગળ સૂર્યના કૃતિકા નક્ષત્રમાંથી નીકળી, ચંદ્રના રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. મંગળના નક્ષત્ર પરિવર્તનની સકારાત્મક અસર અનેક રાશિઓ પર જોવા મળશે. પરંતુ રાશિચક્રની ત્રણ રાશીઓ એવી છે જેમને મંગળનું નક્ષત્ર પરિવર્તન વિશેષ લાભ કરાવશે. તો ચાલો તમને જણાવીએ આ ત્રણ રાશિ કઈ છે અને તેમને કેવા લાભ થશે ?


મંગળના ગોચરથી 3 રાશિને થશે લાભ 


આ પણ વાંચો: શનિવારે ભુલ્યા વિના કરી લો સરસવના તેલનો દીવો, વાળ પણ વાંકો નહીં કરી શકે વક્રી શનિ


મેષ રાશિ 


મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. મંગળના રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરવાથી આ રાશિના લોકોને નેતૃત્વ ક્ષમતા વધશે. વિદ્યાર્થીઓને કરિયરમાં પ્રગતિ થશે. કાર્ય સ્થળ પર સિનિયરનો સહયોગ પ્રાપ્ત થશે. વેપારીઓને વ્યવસાયમાં લાભ થવાની સંભાવના નવી યોજનાઓ શરૂ કરવા માટે ઉત્તમ સમય. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. 


આ પણ વાંચો: 26 જુલાઈથી 3 રાશિનું ભાગ્ય હશે સાતમા આસમાને, સૂર્ય મંગળ લાભ દ્રષ્ટિ કરી દેશે માલમાલ


સિંહ રાશિ


ભાગ્યનો સાથ મળશે. સાહસ, આત્મવિશ્વાસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. લાંબા સમયથી અટકેલા કામ પુરા થશે. જે પ્રયાસ કરી રહ્યા હતા તે કામ સફળ થશે. અચાનક ધન લાભ થવાની સંભાવના. શેર બજાર કે લોટરીથી ધન પ્રાપ્ત થશે. સરકારી નોકરી કરતા લોકોને વાહન સુખ પ્રાપ્ત થઈ શકે છે 


આ પણ વાંચો: Vastu Tips: પૈસા સંબંધિત આ 5 ભુલ કરે તેના ઘરમાં ન ટકે રુપિયા, આવક કરતાં વધુ હોય ખર્ચ


તુલા રાશિ 


વેપારીઓને વેપારથી જબરદસ્ત આર્થિક લાભ થવાની સંભાવના. બિઝનેસનો વિસ્તાર થશે. નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. ઉપરી અધિકારીઓ કાર્યથી ખુશ રહેશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય. કારકિર્દીમાં નવી યોજનાઓ સફળ થશે. નોકરીમાં પ્રગતિ થશે. આ સમય દરમિયાન આવક વધવાની સંભાવના. મન પ્રસન્ન રહેશે. પારિવારિક સુખ ઉત્તમ રહેશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)