Astro Tips: જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાય અને કર્મ ફળના દાતા કહેવાયા છે. એટલા માટે જ જ્યારે શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેનો પ્રભાવ દરેક રાશિના લોકોના જીવન ઉપર પડે છે. બધા જ ગ્રહોમાં શનિ સૌથી ધીમી ગતિએ ચાલે છે જેના કારણે તેનો પ્રભાવ પણ લાંબા સમય સુધી રહે છે. જો શનિ શુભ ફળ આપનાર હોય તો જીવનમાં વ્યક્તિ અઢળક લાભ પ્રાપ્ત કરે છે અને તે પણ લાંબા સમય સુધી. પરંતુ જો શનિ અશુભ દ્રષ્ટિ કરનાર હોય તો વ્યક્તિને આર્થિક નુકસાન સહિત ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડે છે. હાલ શનિ કુંભ રાશિમાં અસ્ત છે પરંતુ છ માર્ચના રોજ શનિનો ઉદય થશે. શનિના ઉદય થવાની સાથે જ કેટલીક રાશિના લોકોનો સારો સમય શરૂ થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


મહિને લાખો કમાતા હોય તો પણ હંમેશા રહે છે કંગાળ, આ 5 રાશિના લોકો પાસે નથી ટકતા રૂપિયા


બુધની રાશિમાં મંગળ કરશે પ્રવેશ, આ 3 રાશિના લોકોને થશે ભાગ્યોદય, ચારે તરફથી થશે ધનલાભ


ક્યારેય ફેલ નથી થતા મીઠાના આ ટોટકા, ધનની ખામી, દાંપત્યજીવનની સમસ્યા થાય છે દુર


વૃષભ 


વૃષભ રાશિના લોકો માટે માર્ચ મહિનો ખૂબ જ શુભ રહેવાનો છે. આ રાશિના દસમા ભાવમાં શનિ ઉદય થશે જેના કારણે કારકિર્દી અને વેપારમાં ભારે નફો અને પ્રગતિ થશે. રોકાણથી લાભ પ્રાપ્ત થશે. અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે.


સિંહ 


સિંહ રાશિના જાતકોના સાતમા ભાવમાં શનિ ઉદય થશે. જેના કારણે આ રાશિના જાતકોના માન અને સન્માનમાં વૃદ્ધિ થશે. જોકે પત્ની સાથે સમસ્યા રહી શકે છે પરંતુ આવકમાં વધારો થશે. સાસરા પક્ષમાં સંબંધ સુધરશે. ભાગીદારીના વ્યવસાયમાં નફાના યોગ સર્જાઈ રહ્યા છે. સુખ સમૃદ્ધિના રસ્તા ખુલશે. 


આ પણ વાંચો: 


સૂર્યાસ્ત પછી કરવામાં આવેલા આ કામથી માતા લક્ષ્મી થાય છે નારાજ, સર્જાય છે પૈસાની તંગી


આ મંદિરમાં દર્શન અને પૂજા કરવાથી દરિદ્રતા થાય છે દુર, જીવનમાં મળે છે સમૃદ્ધિ


કુંભ 


કુંભ રાશિના લોકોને શનિદેવ સૌથી સારું પરિણામ આપશે. આ રાશિમાં જ શનિ ઉદય થશે જેના કારણે આ રાશિના લોકોને સૌથી વધુ લાભ પ્રાપ્ત થશે. નોકરીમાં શ્રેષ્ઠ અવસર પ્રાપ્ત થશે. માનસનમાં વૃદ્ધિ થશે અને આવકમાં પણ વધારો થશે. અટકેલા કામ પણ પુરા થવા લાગશે.


મીન 


મીન રાશિના જાતકો માટે પણ શનિનું ઉદય થવું લાભકારી સાબિત થશે. આ રાશિના બીજા સ્થાનમાં શનિ ઉદય થશે અને આવકમાં વધારો થશે. આ રાશિના લોકો માટે માર્ચ મહિનો ખૂબ જ શુભ રહેવાનો છે. આ રાશિના લોકોની સુખ સમૃદ્ધિ વધશે. પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશે.