Navratri 2024: આજથી શારદીય નવરાત્રીનો શુભ પ્રારંભ થયો છે, જે હિંદુ ધર્મમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ નવ દિવસ પવિત્ર તહેવાર દેવી દુર્ગાના નવ જુદા જુદા સ્વરૂપોની પૂજાને સમર્પિત છે. આ પર્વ અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદાથી નવમી સુધી પૂરા ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવરાત્રિ દરમિયાન ભક્તો ઉપવાસ રાખે છે, મા દુર્ગાની આરાધના કરે છે અને તેનાથી શક્તિ, સમૃદ્ધિ અને મંગળની કામના કરે છે. જોકે, નવ દિવસ સુધી ઉપવાસ કરવાથી ઘણા લોકોને કમજોરી મહેસૂસ થાય છે. એટલા માટે એ જાણવું જરૂરી છે કે ઉપવાસ દરમિયાન શું ખાવું અને કઈ ચીજોથી બચવું જોઈએ. જેથી શરીરમાં ઉર્જા રહે અને તમે સ્વસ્થ રહો.


ઉપવાસમાં શું ખાવું?


સાબુદાણા
સાબુદાણા એનર્જીનો એક સારો સ્ત્રોત છે. તમે સાબુદાણાની ખીચડી, સાબુદાણા વડા અને સાબુદાણાના પકોડા બનાવીને ખાઈ શકો છો. આ તમને કાર્બોહાઈડ્રેટ અને એનર્જી આપશે, જેના કારણે તમે દિવસભર એક્ટિવ રહેશો.


મખાના
ઉપવાસ દરમિયાન મખાનાને ઉત્તમ નાસ્તા તરીકે ખાઈ શકાય છે. તે પ્રોટીન અને ફાઈબરનો સારો સ્ત્રોત છે, જે તમને લાંબા સમય સુધી ભરપૂર અનુભવ કરાવશે.


ફળો અને સૂકા ફળો
ઉપવાસ દરમિયાન એનર્જી જાળવી રાખવા માટે ફળો અને ડ્રાયફ્રૂટ્સ ખૂબ જ જરૂરી છે. સફરજન, કેળા, પપૈયા, બદામ, અખરોટ અને કિસમિસનું સેવન કરો. આ તમારા શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પ્રદાન કરશે.


સિંઘાડા અને કુટ્ટૂનો લોટ
ઉપવાસ દરમિયાન સામાન્ય લોટને બદલે તમે કુટ્ટૂ અને સિંઘાડાનો લોટ ખાઈ શકો છો. આમાંથી પરાઠા, પુરી અથવા ચીલા બનાવી શકાય છે, જે પૌષ્ટિક અને પચવામાં સરળ છે.


દહી અને દૂધ
ઉપવાસ દરમિયાન કેલ્શિયમ અને પ્રોટીન માટે દહી અને દૂધનું સેવન જરૂર કરો. દહીમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે પેટને હેલ્દી રાખે છે અને પાચનને સારું બનાવે છે.


ઉપવાસમાં શું ના ખાવું જોઈએ?


તળેલી-શેકેલી ચીજો
તળેલી વસ્તુઓ જેવી કે સમોા, ચિપ્સ અને પકાડા ઉપવાસ દરમિયાન પેટને ભારે કરી શકે છે. તેનાથી ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે, જેનાથી કમજોરી મહેસૂસ થઈ શકે છે.


શુગર ડ્રિંક્સ
કોલ્ડ ડ્રિંક્સ, પેકેટ જ્યુસ કે અન્ય શુગર ડ્રિંક્સ શરીરને એનર્જી આપે છે, પરંતુ પાછળથી તે શરીરને સુસ્ત બનાવી શકે છે. આને ટાળો અને તાજા ફળોનો રસ અથવા નારિયેળ પાણી પીવો.


ચા અને કોફી
ઉપવાસ દરમિયાન ચા અને કોફી પીવાથી પણ પેટને નુકસાન પહોંચી શકે છે અને એસિડિટીની સમસ્યા પૈદા કરી શકે છે. તેના બદલે હર્બલ ટી અથવા તો લીંબુ પાણીનું સેવન કરો.


બજારનું ખાવાનું
ઉપવાસ દરમિયાન બહારના પેક અને જંક ફૂડ ખાવાથી બચો. તેમાં પ્રિજર્વેટિવ્સ અને વધુ મીઠું અને ખાંડ હોય છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક છે.


નવરાત્રિ ઉપવાસ દરમિયાન આ સાવધાનીઓને અપનાવીને તમે માત્ર આધ્યાત્મિક રૂપથી જ નહીં, પરંતુ શારીરિક રૂપથી પણ સ્વસ્થ રહેશો. આ નવરાત્રિ, યોગ્ય ડાઈટનું સેવન કરો અને કમજોરી વગર પોતાના ઉપવાસને પુરા કરો.


Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.