નવી દિલ્હીઃ Palmistry Predictions in Gujarati: હસ્તરેખા શાસ્ત્ર અનુસાર કોઈ વ્યક્તિના હાથની રેખાઓથી તેના ભાગ્ય સાથે જોડાયેલી વાતો જાણી શકાય છે. ઘણીવાર આ રેખાઓ એવા રાઝ ખોલે છે, જેના વિશે જાણી વ્યક્તિ ખુશ થઈ જાય છે. તો કેટલાક રાઝ વ્યક્તિના મનમાં અશાંતિ ભરે છે પરંતુ તમારી રેખાઓનું લખાણ તમારા ભાગ્ય સાથે પણ જોડાયેલું હોય છે. તમારે જીવનમાં કંઈક મેળવવા થોડી મહેનત તો કરવી પડે છે, પરંતુ જો તમારા હાથમાં કેટલીક એવી રેખાઓ હોય છે જે સફળતા મેળવવી આસાન બનાવી દે છે. જેમ હાથની કેટલીક રેખાઓ સરકારી નોકરી કે વહીવટી સેવાઓ સાથે જોડાયેલી હોય છે. જો તમે થોડી પણ મહેનત કરો તો તમને સરળતાથી સરકારી નોકરી મળી શકે છે. આજે અમે તમને હથેલી પર લખેલા M વિશે જણાવી રહ્યાં છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયાં હોય છે આ નિશાન
- M નામનું નિશાન તમારા ડાબા કે જમણા હાથમાંથી ગમે તે હાથ પર હોઈ શકે છે. હથેળી પર ત્રણ રેખાઓ જોડાઈ ઈંગ્લિશ અક્ષરના M જેવી લાગે છે, તેથી તેને M નિશાન કહે છે. માનવામાં આવે છે કે આવા લોકો ખુબ ભાગ્યશાળી હોય છે. તે જે કામ કરે છે તેમાં તેને સફળતા જરૂર મળે છે. 


- જે લોકોના હાથમાં M નામનું નિશાન બનેલું હોય છે. તે લોકો સારા લીડર સાબિત થાય છે. તેવા લોકો વિતરીત પરિસ્થિતિમાં પણ સરળતાથી કામ કરે છે. તેની અંદર બધા લોકોને સાથે લઈને ચાલવાના ગુણ હોય છે. આવા લોકો બુદ્ધિથી ખુબ તેજ હોય છે. તેની અંદર એક કુશળ રાજનીતિક્ષ બનવાની પણ ક્ષમતા હોય છે, આ લોકો મહેનત કરી રાજનીતિમાં ઉંચા પદ પર બેસી શકે છે.


આ પણ વાંચોઃ હોળાષ્ટકમાં શનિ દેવ પોતાની પ્રિય રાશિ કુંભમાં થશે ઉદય, આ જાતકોને મળશે અપાર પૈસા


- હથેળી પર M નિશાનવાળા લોકો ક્રિએટિવ હોય છે. આવા લોકો સારા કલાકાર, ચિત્રકાર, ગાયક, અભિનેતા, લેખક, સાહિત્યકાર હોય છે. 


- પ્રેમના મામલામાં આવા લોકો ખુબ ભાગ્યશાળી હોય છે. તેવા લોકોને જીવનસાથીનો સહયોગ મળે છે. સાથે તેનું લગ્ન જીવન સારૂ પસાર થાય છે. 


ક્યારે ચમકે છે આવા લોકોનું ભાગ્ય
હથેળી પર M લખેલા લોકોનું ભાગ્ય શરૂઆતમાં એટલું પ્રભાવકારી નથી હોતું પરંતુ જેમ-જેમ આવા લોકોની ઉંમર વધે છે, તેમ તેનું ભાગ્ય ચમકવાનું શરૂ થઈ જાય છે. આવા લોકોનું ભાગ્ય 35 વર્ષની ઉંમર બાદ ચમકવાનું શરૂ થાય છે. આ ઉંમર બાદ વ્યક્તિની સમજદારીનું સ્તર પણ વધે છે, તેના કારણે તે સમજી-વિચારી નિર્ણય કરે છે. તો હાથમાં M અક્ષર બનાવનારી રેખા હોવાથી તેને સરળતાથી સફળતા મળે છે.