Rahu-Shani Yuti: રાહુ હાલ ગુરુની રાશિ મીન રાશિમાં અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન છે. 8 જુલાઈ 2024 ના રોજ રાહુ શનિના નક્ષત્ર એટલે કે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. શનિના નક્ષત્રમાં રાહુનો પ્રવેશ થતાં જ વિશિષ્ટ યોગ સર્જાશે. આ યોગ 16 માર્ચ સુધી રહેશે. આમ તો શનિ અને રાહુની અશુભ દશા વ્યક્તિના જીવનમાં ઊથલપાથલ સર્જી શકે છે પરંતુ શનિના નક્ષત્રમાં રાહુનો પ્રવેશ કેટલીક રાશિના લોકો માટે સકારાત્મક સાબિત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Ganpatpura: મનની ઈચ્છા પુરી કરે છે આ ગણપતિ, બસ દર્શન કરી મંદિરમાં કરી દો ઊંધો સાથિયો


રાહુના નક્ષત્ર પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને આર્થિક સ્થિતિ સુધરશે અને કાર્ય પ્રત્યે સમર્પણ પણ વધશે. આ રાશિના લોકોને સફળતા મળવા લાગશે. આ સમય દરમિયાન શેર માર્કેટથી સારો લાભ થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ 8 જુલાઈએ જ્યારે રાહુ નક્ષત્ર પરિવર્તન કરશે તો કઈ કઈ રાશિના લોકોનું ભાગ્ય પણ બદલી જશે. 


મેષ રાશિ 


આ પણ વાંચો: દેવ પોઢી જશે પણ આ રાશિઓનું ભાગ્ય જાગી જશે, જાણો ચાતુર્માસ કઈ કઈ રાશિ માટે શુભ


શનિના નક્ષત્રમાં રાહુનો પ્રવેશ થતા મેષ રાશિના લોકોના ખર્ચા વધશે પરંતુ સાથે જ સફળતા પણ મળશે. આ સમય દરમિયાન જો તમે કોઈ કોર્સ કરવા માંગો છો તો કરી શકો છો. નોકરી સંબંધિત કામો માટે ટ્રાવેલિંગ કરવું પડી શકે છે. આ સમય દરમિયાન ખર્ચ વધશે પણ સુખ પ્રાપ્ત થશે. 


મિથુન રાશિ 


મિથુન રાશિના લોકોને કઠોર મહેનત કરવી પડશે. સાથે જ ભાગ્ય મહેનત કર્યા પછી ચમકશે. જે મહેનત કરી હશે તે સફળતા અપાવશે. આ સમય દરમિયાન નોકરી બદલવાનો વિચાર કરી શકો છો. વેપારમાં પણ ફાયદો થશે. કોઈ સારું કાર્ય શરૂ કરવા માટે સમય શુભ. 


આ પણ વાંચો: Shukra Gochar 2024: 7 જુલાઈથી આ 3 રાશિઓની ચાંદી જ ચાંદી, સૂતું ભાગ્ય જાગી જશે


તુલા રાશિ 


8 જુલાઈ પછી તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે સમય અતિ શુભ છે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમણે મહેનત વધારવી પડશે. વધારે મહેનત કરવાથી ભાગ્યના દરવાજા ખુલશે. નોકરી કે વેપારમાં જે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા હવે તેમને સફળતા મળશે. પારિવારિક બાબતોમાં વિવેકપૂર્ણ નિર્ણય કરવા. 


આ પણ વાંચો: Kalava on Tree: નોકરીમાં વારંવાર આવે છે સમસ્યા ? તો આ ઝાડ પર બાંધી દો લાલ દોરો


વૃશ્ચિક રાશિ 


પોતાના ફિલ્ડમાં વધારે મહેનત કરવી પડશે. જે લોકો રાજનીતિ સાથે જોડાયેલા છે તેમને બહાર જવાનું થઈ શકે છે. સામાજિક સંબંધો સુધરશે. સમય એકંદરે સારો રહેશે. 


મકર રાશિ 


મકર રાશિ માટે આર્થિક દ્રષ્ટિએ 8 જુલાઈ પછીનો સમય અતિ શુભ છે. અટકેલું ધન પ્રાપ્ત થશે અને અટકેલા કાર્યોમાં પણ ગતિ આવશે. યાત્રાના યોગ બની રહ્યા છે. યાત્રા લાભકારક સાબિત થશે. 


આ પણ વાંચો: આ રાશિઓ માટે જુલાઈ મહિનો શુભ, નોકરી-વેપાર માટે સમય શુભ, રોજ થશે આર્થિક લાભ


કુંભ રાશિ 


કુંભ રાશિના યુવા વર્ગ માટે સમય અતિ શુભ છે.. પર્સનાલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. કાર્યોને લઈને આળસ નહીં કરો તો મહેનતનું ફળ ચોક્કસથી મળશે. 8 જુલાઈ પછીનો સમય યુવા વર્ગ માટે અતિ શુભ.


મીન રાશિ 


આ રાશિના લોકોને નોકરીને લઈને આળસ કરવું નહીં. કામ સમયસર પૂર્ણ કરવાથી ઉપરી અધિકારી ખુશ રહેશે. આઠ જુલાઈ પછી અટકેલું પ્રમોશન મળી શકે છે ઉપરી અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)