Astro Tips: દરેક વ્યક્તિના જીવનમાં લગ્નનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસ માટે યુવક અને યુવતી બંનેએ ઘણા બધા સપના જોયા હોય છે. લગ્નના દિવસથી એક અલગ સંબંધ અને પ્રેમની શરૂઆત થાય છે જે જીવનભર ચાલે છે. લગ્નનો દિવસ એવો હોય છે જ્યારે કોઈપણ પ્રકારની સમસ્યા આવે તે કોઈને પસંદ નથી. આમ તો લગ્નના દિવસે કોઈ સમસ્યા સર્જાતી નથી કારણ કે બધું જ પ્લાનિંગથી કરવામાં આવેલું હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Mangal Gochar 2024: મંગળના રાશિ પરિવર્તનથી 5 રાશિ માટે 26 ઓગસ્ટ સુધીનો સમય શુભ


પરંતુ લગ્ન જો ચોમાસાની સિઝનમાં હોય તો વરસાદ લગ્નમાં વિઘ્ન બની શકે છે. ઘણીવાર એવું થાય છે કે લગ્નના દિવસે ધોધમાર વરસાદ આવે અથવા તો લગ્ન થઈ રહ્યા હોય ત્યારે અચાનક વરસાદ શરૂ થઈ જાય. લગ્નના દિવસે વરસાદ થવો તેને લઈને અલગ અલગ માન્યતાઓ છે. આજે તમને જણાવીએ ધાર્મિક માન્યતા અનુસાર લગ્નના દિવસે વરસાદ થાય તો તે શુભ ગણાય કે અશુભ. 


આ પણ વાંચો: ગ્રહોના રાજકુમાર બુધ કરશે રાશિ પરિવર્તન, 3 રાશિના લોકો પર વરસાવશે ધન


લગ્નના દિવસે વરસાદ થવો 


વરસાદ સકારાત્મક ઊર્જાનું પ્રતીક છે. હિન્દુ ધર્મમાં વરસાદને ખુશહાલીનો સંકેત માનવામાં આવે છે. તેથી જ જો લગ્નના દિવસે વરસાદ થાય તો તેને પણ શુભ ગણવામાં આવે છે. જે રીતે વરસાદ પડવાથી ધરતી લીલીછમ થઈ જાય છે તે રીતે લગ્નના દિવસે જો વરસાદ થાય કે લગ્ન થતા હોય ત્યારે વરસાદ થાય તો તેને શુભ પ્રતીક માનવામાં આવે છે. લગ્નમાં વરસાદ થવો તે ભગવાનના આશીર્વાદ ગણાય છે. માન્યતા એવી પણ છે કે જેના લગ્નમાં વરસાદ થયો હોય તેનું વૈવાહિક જીવન સફળ રહે છે. 


આ પણ વાંચો: શનિની ઉલટી ચાલ પણ થઈ જાય બેઅસર, પ્રભાવ છે આ જગ્યામાં, શનિદોષથી મળી જાય મુક્તિ


લગ્નના દિવસે વરસાદ થાય તો દંપત્તિને સંતાન સુખ પણ જલ્દી પ્રાપ્ત થાય છે. તેની પાછળ માન્યતા છે કે વરસાદ જે રીતે સૂકી ભૂમિને ઉપજાવ બનાવે છે તે રીતે વિવાહના દિવસે લગ્ન થાય તો દંપતીના જીવનમાં પણ સંતાન ઝડપથી આવે છે. 


આ પણ વાંચો: આ 4 રાશિના લોકોએ ભુલથી પણ કાચબાની વીંટી પહેરવાની ન કરવી ભુલ, નીકળી જશે ધનોતપનોત


લગ્નના દિવસે વર અને વધુ પર જો અમી છાંટણા પડે તો માનવામાં આવે છે કે તેમના સંબંધ મજબૂત બને છે. વરસાદના અમી છાંટણા પતિ-પત્નીના સંબંધને અતૂટ બનાવે છે અને તેમને ખુશહાલ રાખે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)