Dussehra Totka: જો તમારા જીવનમાં પણ કોઈ દુ:ખ છે અને તેનાથી તમે છુટકારો મેળવવા માટે કોઈ ઉપાય શોધી રહ્યા છો તો આજે તમને ખાસ ઉપાય જણાવીએ. આ ઉપાય દશેરાના દિવસે કરવાથી તમે જીવનની તમામ પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. જ્યોતિષશાસ્ત્રમાં દશેરાના તહેવારને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી આ દિવસે કરેલા કેટલાક ઉપાયો તમારું ભાગ્ય રાતોરાત બદલી શકે છે. આજે તમને દશેરા પર કરવાના લીંબુ અને લવિંગના ચમત્કારિક ઉપાય વિશે જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીવનની સમસ્યાઓ દુર કરતા ઉપાય  


આ પણ વાંચો:


Vastu Tips: પૂજા કરતી વખતે આ વાતોનું રાખવું ધ્યાન, પ્રસન્ન થઈ ભગવાન ધનથી ભરશે તિજોરી


દિવાળી પહેલા પલટી મારશે આ રાશિના લોકોનું નસીબ, શનિ, રાહુ અને કેતુ કરશે માલામાલ


દિવાળી પહેલા શુક્ર અને શનિની બદલશે ચાલ, આ રાશિના લોકો પર થશે રુપિયાનો વરસાદ


1. જો તમે તમારા જીવનમાં પૈસા સંબંધિત તમામ સમસ્યાઓનો ઉકેલ મેળવવા માંગતા હોય તો દશેરાની રાત્રે એક લીંબુ અને ચાર લવિંગ લઈ આ ઉપાય કરવો.  ત્યાર પછી તમે જે જગ્યા પર તમે દશેરા પર પૂજા કરી હોય ત્યાં જઈ ચારેય લવિંગને લીંબુમાં દબાવી દો. ત્યારબાદ મહાલક્ષ્મીના બીજ મંત્રનો 21 વાર જાપ કરી સિદ્ધ લીંબુને ઘરની એકાંત જગ્યા પર રાખી દો. તેનાથી તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે.


2. જો તમે દશેરાની રાત્રે તમારા ઘરના મુખ્ય દરવાજા પર લીંબુ મરચાં લટકાવશો તો તે તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દુર કરશે અને તમારા બધા કામ સરળતાથી પૂર્ણ થશે.


3. જો તમે કરથી કાયમ માટે મુક્તિ મેળવવા માંગો છો તો લીંબુને તમારા માથા પરથી 3 વાર ફેરવો અને પછી તેના બે ટુકડા કરો. ત્યારપછી લીંબુનો એક ભાગ ડાબી બાજુ અને બીજો ભાગ જમણી બાજુએ ફેંકી દો. જો તમે આ કાર્યને કોઈપણ અવરોધ વિના પૂર્ણ કરશો તો કરજમુક્તિ નક્કી થઈ જશે. 



(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)