જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના ગોચર એટલે કે ગ્રહોના રાશિ અને નક્ષત્રમાં પ્રવેશથી આ ગ્રહોની યુતિ, યોગ અને સંયોગ સમયાંતરે બનતા રહે છે. ગ્રહોના ગોચરનો પ્રભાવ દેશ-દુનિયા, હવામાન, પ્રકૃતિ સહિત તમામ રાશિઓ અને જાતકો પર પડે છે. ડિસેમ્બર 2024માં શુક્ર અને શનિની યુતિ બની રહી છે. આ યુતિ કુંભ રાશિમાં બનશે. જેની અસર તમામ રાશિઓ પર પડશે. પરંતુ 3 રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ શકે છે. આ રાશિવાળાને ધનલાભની સાથે સાથે માન સન્માનની પ્રાપ્તિ થશે. જાણો આ 3 લકી રાશિ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તુલા રાશિ
તુલા રાશિ શનિદેવની ઉચ્ચ રાશિ છે. આ રાશિના લોકો શુક્ર અને શનિની યુતિ દરમિયાન વધુ સ્થિર અને ધૈર્યવાન મહેસૂસ કરશે. તેઓ પોતાના  લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વધુ મહેનત કરશે. આવકમાં વધારાના સંકેત છે. રોકાણથી લાભ થઈ શકે છે. નોકરીયાતોને વર્ક પ્લેસ પર તેમના કામને માન્યતા મળશે. નવા ગ્રાહકો મળવાથી વેપારમાં સ્થિરતા આવશે. ઉદ્યોગ ધંધામાં વિસ્તારની તકો મળી શકે છે. રિટેલ ધંધામાં લાભ થશે. વેપારી હેતુથી મુસાફરી થઈ શકે છે અને લાભ કરાવી શકે છે. વિદ્યાર્થીઓને કરિયરમાં સફળતા મળશે. કૌટુંબિક જીવનમાં પરિવારના સભ્યો સાથે સંબંધ મજબૂત થશે. વૈવાહિક જીવનમાં મધુરતા આવશે. લવ રિલેશનશીપમાં વિવાહના યોગ બની શકે છે. 


વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે કુંભ રાશિમાં બની રહેલી શુક્ર-શનિની યુતિ સકારાત્મક સાબિત થઈ શકે છે. રિટેલ વેપારમાં વેચાણ વધશે. ગ્રાહકો સંતુષ્ટ થશે. વિદ્યાર્થીઓને કરિયરમાં પ્રગતિ થશે. અભ્યાસમાં સફળતા મળશે. આવક વધવાથી જૂના કરજ ચૂકવવામાં સરળતા રહેશે. હાલ કોઈને કરજ આપો નહીં કે નવું કરજ લેતા નહીં. કોર્ટ કચેરીના મામલાઓમાં સફળતા મળવાની શક્યતા છે. કૌટુંબક સંબંધો મધુર બનશે. મેરિડ લાઈફમાં મધુરતા રહેશે. લવ લાઈફમાં સંબંધો મજબૂત થશે. વિવાહના યોગ બની શકે છે. જૂની બીમારીઓ દૂર થવાથી સ્વાસ્થ્ય સારું રહેશે. 


મીન રાશિ
મીન રાશિના જાતક કુંભ રાશિમાં બનેલા શુક્ર-શનિની યુતિની સકારાત્મક અસરથી વધુ આત્મવિશ્વાસુ અને નિર્ણાયક મહેસૂસ કરશે. તેઓ પોતાની ભાવનાઓને સારી રીતે સમજશે અને વ્યક્ત કરશે. આવકમાં વધારાના પ્રબળ સંકેત છે. વધારાની આવકના સોર્સ ખુલી શકે છે. નોકરી અને કરિયરમાં સ્થિરતા અને પ્રગતિ જોવા મળશે. સાથે કામ કરનારાઓ સાથે સંબંધ મધુર બનશે. ઉદ્યોગ ધંધામાં પણ લાભ થશે. નવા પ્રોજેક્ટ શરૂ  થઈ શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાથી સારી નોકરી મળવાની શક્યતા છે. કૌટુંબિક જીવન સુખદ રહેશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)