Shani Ka Gochar: જ્યોતિષીય દ્રષ્ટિથી શનિનું ગોચર ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિનો પ્રભાવ વ્યક્તિને ઝીરોથી હીરો બનાવી શકે છે. તો શનિની સ્થિતિ બગડવા પર વ્યક્તિના જીવનમાં દુખનો સામનો કરવો પડી શકે છે. 2024માં કુંભ રાશિમાં બિરાજમાન રહી શનિ પોતાની ચાલમાં બદલાવ કરશે. ફેબ્રુઆરી મહિનામાં શનિ અસ્ત થશે અને પછી માર્ચ 2024ના મહિનામાં શનિ ઉદય થવાના છે. 18 માર્ચના દિવસે શનિ ઉદય થવાના છે, જેનો પ્રભાવ દરેક રાશિઓ પર પડશે. તેથી આવો જાણીએ શનિના ઉદય થવા પર કયાં જાતકોને ફાયદો થવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તુલા રાશિ
વર્ષ 2024માં શનિના ઉદય થવા પર તુલા રાશિના જાતકોને ખુબ ફાયદો થશે. આ રાશિના લોકોની આવકમાં વધારો થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર લોકોને શુભ સમાચાર મળી શકે છે. ઘરમાં સુખ-શાંતિનો માહોલ રહેશે. કોઈ મિત્રની મદદથી જીવનમાં આવી રહેલી મુશ્કેલી દૂર થવા લાગશે. 


આ પણ વાંચોઃ Dhanteras પર સોનું-ચાંદી સહિત શું-શું ખરીદવું શુભ? જાણો લો કારણ


વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે શનિનો ઉદય શુભ પરિણામ લઈ આવશે. વર્ષોથી અટવાયેલા કામ પૂર્ણ થવા લાગશે. ધન લાભ થવાનો પ્રબળ યોગ બની રહ્યો છે. સુખ-શાંતિનો માહોલ રહેશે. શનિના શુભ પ્રભાવથી કરિયરમાં પ્રમોશન થવાની સંભાવના છે. 


ધન રાશિ
આગામી વર્ષે શનિના ઉદય થવા પર ધન રાશિના જાતકોને લાભ મળી શકે છે. બોસ અને કલીગ્સના સપોર્ટથી કરિયરમાં તમે નવા કામ સરળતાથી પૂરા કરશો. આર્થિક પરેશાનીઓ ધીમે-ધીમે સમાપ્ત થવા લાગશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વિદેશ યાત્રા કરવાની સંભાવના છે. 


(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube