શનિની બદલાતી ચાલ ખુબ મહત્વપૂર્ણ ગણાય છે. 2024માં જ્યાં શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરશે નહીં કારણ કે શનિ ખુબ ધીમી ગતિથી ગોચર કરતો ગ્રહ છે. પણ તે પોતાની ચાલમાં ફેરફાર ચોક્કસ કરશે. શનિ ગ્રહ 11 ફેબ્રુઆરીના રોજ કુંભ રાશિમાં લગભગ 30 વર્ષ બાદ અસ્ત થવા જઈ રહ્યા છે અને 18 માર્ચ સુધી આ અવસ્થામાં રહેશે. શનિદેવ અસ્ત થવાથી 12 રાશિઓ પ્રભાવિત થશે. શનિની ચાલ કેટલાકને લાભ કરાવશે તો કેટલાક માટે સમય મુશ્કેલીભર્યો થઈ શકે છે. શનિદેવ અસ્ત થવાથી કોને પોઝિટિવ પરિણામ મળી શકે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃશ્ચિક રાશિ
ફેબ્રુઆરીમાં શનિ અસ્થ થતા વૃશ્ચિક રાશિવાળા માટે લાભદાયક સમય રહેશે. બોસ અને સહકર્માચારીઓના સપોર્ટથી કરિયરમાં તમે બધા કામ સારી રીતે પૂરા કરી શકશો. આર્થિક પરેશાનીઓ ધીરે ધીરે સમાપ્ત થશે. તમારા સ્વાસથ્યનો ખ્યાલ રાખજો. વિદેશ પ્રવાસ કરો તેવી શક્યતા છે. 


સિંહ રાશિ
વર્ષ 2024માં શનિ અસ્ત થતા સિંહ રાશિના જાતકોને ખુબ ફાયદો થશે. આ રાશિના લોકોની આવકમાં વધારો થઈ શકે છે. કોમ્પિટિશનની તૈયારી કરનારા લોકોને શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. ઘરમાં સુખ શાંતિનો માહોલ રહેશે. કોઈ મિત્રની મદદથી જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે. 


કર્ક રાશિ
કર્ક રાશિવાળા માટે શનિનું અસ્ત થવું શુભ પરિણામ લાવશે. વર્ષોથી અટકેલા કામ પૂરા થશે. ધનલાભના પ્રબળ યોગ બની રહ્યા છે. સુખ શાંતિનો માહોલ રહેશે. શનિના શુભ પ્રભાવથી કરિયરમાં પ્રમોશનની શક્યતા છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)