Akhanda Samrajya Yoga 2023: ગ્રહ-નક્ષત્રોની સ્થિતિમાં પરિવર્તન અનેક રીતે શુભ અશુભ યોગ બનાવે છે. કેટલાક યોગ એકદમ શુભ હોય છે અને લોકોનું ભાગ્ય ચમકાવી દે છે. જલદી આવો જ એક ખુબ જ શુભ યોગ અખંડ સામ્રાજ્ય યોગ બનવા જઈ રહ્યો છે જે 3 રાશિના જાતકો માટે ખુબ જ શુભ છે. હાલમાં જ 17 જાન્યુઆરીએ શનિ ગોચર કરીને પોતાના મૂળ ત્રિકોણ કુંભમાં પ્રવેશ્યો છે. જ્યારે 22 એપ્રિલ 2023ના રોજ ગુરુ ગોચર કરવા જઈ રહ્યો છે. શનિ અને ગુરુનું ગોચર 3 રાશિઓમાં અખંડ સામ્રાજ્ય યોગ જે આ રાશિના જાતકો માટે ખુબ જ શુભ સાબિત થઈ શકે છે. શનિ કર્મ અને ન્યાયના દેવતા છે જ્યારે દેવગુરુ બૃહસ્પતિ ભાગ્ય વૃદ્ધિ  કરનારા ગ્રહ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે બને છે અખંડ સામ્રાજ્ય રાજયોગ
જ્યારે પણ કોઈ ગ્રહ લાંબા સમય માટે ધન ભાવમાં ગોચર કરે છે ત્યારે તે અખંડ સામ્રાજ્ય રાજયોગ બનાવે છે. અખંડ સામ્રાજ્ય યોગ જાતકોને અપાર ધન લાભ અને સુખ સમૃદ્ધિ અપાવે છે. જાતકોને કૌટુંબિક જીવનમાં ખુશહાલી મળે છે. અખંડ સામ્રાજ્ય યોગ આ રાશિવાળાનું ભાગ્ય ચમકાવશે. 


મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે અખંડ સામ્રાજ્ય યોગ ખુબ જ શુભ સાબિત થઈ શકે છે. આ જાતકોને અચાનક ધનલાભ થઈ શકે છે. નોકરી વેપારમાં લાભ થશે. નફો વધશે. શેર માર્કેટથી લાભ થશે. 


પગથિયાના લીધે ફરી જશે પથારી! ઘર હોય કે ઓફિસ આ દિશામાં ભૂલથી પણ ન બનાવો પગથિયાં


તુલસી જો સૂકાવવા લાગે તો સમજી લો જીવનમાં આવશે મોટું વિધ્ન!, ફટાફટ કરો આ ઉપાય


આવા લોકોથી હંમેશા નારાજ રહે છે શનિદેવ, જો કરી આ ભૂલ તો જીવનભર ભોગવવું પડશે


મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે શનિ ગોચર અને ગુરુ ગોચર બંને ખુબ જ શુભ સાબિત થશે. આ જાતકોના આર્થિક હાલાત સારા થશે. પૈસાની તંગી દૂર થઈ જશે. નોકરી કરનારાઓને પ્રમોશન-ઈન્ક્રીમેન્ટ મળશે. નોકરી બદલવાના યોગ બનશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. તમારા પક્ષમાં કોઈ મોટો મામલો ઉકેલાઈ શકે છે. 


મકર રાશિ
મકર રાશિના જાતકો માટે ગુરુ અને શનિના યોગથી બની રહેલો અખંડ સામ્રાજ્ય રાજયોગ ખુબ જ સમૃદ્ધિદાયક રહેશે. ધન લાભ થવાના યોગ બનશે. જૂના પૈસા મળશે. સન્માન વધશે. પરિવારમાં ખુશી વધશે. સંબંધો સારા થશે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)