નવી દિલ્હીઃ Shani Gocahr: દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. ગ્રહ ગોચર, જે શુભ કે અશુભ હોઈ શકે છે, તેની અસર દરેક 12 રાશિઓ પર પડે છે. ગ્રહ ક્યારેય એક રાશિમાં રહેતા નથી કારણ કે તે પોતાની ચાલ તથા રાશિઓ બદલતા રહે છે. સૂર્યથી લઈને કેતુ સુધી દરેક ગ્રહોનું રાશિ પરિવર્તન અલગ-અલગ સમયે થાય છે. ચંદ્રમા જે ગતિથી રાશિ પરિવર્તન કરે છે, તેને સૌથી ઝડપી માનવામાં આવે છે. ચંદ્રમા દ્વારા એક દિવસમાં લગભગ બે-ચતૃથાંશ રાશિ પરિવર્તન કરવામાં આવે છે. 
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ સૂર્ય દરેક રાશિમાં એક મહિનો આસપાસ રહે છે, ત્યારબાદ બુધ 24 દિવસ સુધી અને શુક્ર 23 દિવસ સુધી રહેશે. મંગળ લગભગ 45 દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. જ્યારે શનિ અને ગુરૂ રાશિ બદલવામાં વધુ સમય લે છે, રાહુલ અને કેતુને રાશિ પરિવર્તન કરવામાં લગભગ 18 મહિના લાગે છે. શનિ ગ્રહની વાત કરીએ તો તે અઢી વર્ષમાં એક વાર રાશિ પરિવર્તન કરે છે. તેથી શનિને સૌથી મંદ ગતિવાળો ગ્રહ કહેવામાં આવે છે. શનિએ 30 વર્ષ બાદ પોતાની મૂળત્રિકોણ રાશિ કુંભમાં ગોચર કર્યું છે. તમને જણાવી દઈએ કે 17 જાન્યુઆરી 2023ના શનિએ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો અને 2025 સુધી અહીં રહેશે. દરેક 12 રાશિઓને આવનારા અઢી વર્ષમાં સકારાત્મક અને નકારાત્મક પરિણામ મળશે. પરંતુ શનિ કેટલીક રાશિઓ પર પોતાની વિશેષ કૃપા પ્રદાન કરશે. 


આ પણ વાંચોઃ 22 એપ્રિલથી બની રહ્યો છે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના લોકોને કરશે હેરાન-પરેશાન


2025 સુધી આ રાશિઓને ધનવાન બનાવશે શનિ
વૃષભ રાશિઃ
શનિના કુંભ રાશિમાં ગોચરથી વૃષભ રાશિના જાતકોને ખુભ લાભ થશે. તમે 2025 સુધી શનિની કૃપાનો આનંદ ઉઠાવશો. તમારી રાશિમાં શનિના ગોચરથી શશ રાજયોગ પણ બની રહ્યો છે, જેથી તમને કાર્યક્ષેત્રમાં પ્રમોશન અને વ્યવસાયમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે. વિદેશમાં વેપાર યાત્રા માટે ખુબ સારા અવસર મળશે અને વિદેશ જવાથી તમારા વેપારનો વિસ્તાર થશે. મીડિયા, ફિલ્મ વ્યવસાય, કલા અને સંગીત ક્ષેત્રે જોડાયેલા લોકોને ખુબ લાભ થશે. તમારો પરિવાર એક સારા પારિવારિક જીવનનો લાભ ઉઠાવશે અને તમને જીવનસાથીનો સહયોગ મળશે. 
 


મિથુન રાશિઃ શનિના રાશિ પરિવર્તનથી મિથુન રાશિના જાતકોને ખુબ લાભ થશે. 2025 સુધી તમારૂ પ્રોફેશન મહત્વપૂર્ણ વિકાસનો અનુભવ કરશે, તમારી પાસે એક મોટી રકમ બનાવવાની તક હશે. જો તમે નોકરી કરી શકો છો તો તમને પ્રમોશનની સાથે પગાર વધારો મળી શકે છે. તમારા વરિષ્ઠો અને સહકર્મીઓ તમારા કામની પ્રશંસા કરશે. જે લોકો ધંધો કરે છે તે વધુ નફો કમાઈ શકે છે. તે વ્યવસાય માટે વિદેશ યાત્રા કરી શકે છે. લવ લાઇફમાં શનિના ગોચરથી શુભ સમાચાર મળી શકે છે. જો તમે પરણેલા છો તો જીવનસાથીની સાથે તમારો સંબંધ મજબૂત થશે. 
 


આ પણ વાંચોઃ ગુરૂ, રાહુનો મહાસંયોગ મચાવશે હલચલ, ઉથલ-પાથલના સંકેત, જાણો તમારા પર શું પડશે પ્રભાવ


તુલા રાશિઃ તુલા રાશિના જાતકો માટે શનિનું ગોચર ખુબ ભાગ્યશાળી રહેશે. તમારા પર શનિની પનોતી ચાલી રહી છે, પરંતુ શનિના કુંભ રાશિમાં જવાથી આ સમાપ્ત થઈ ગઈ છે. આ દરમિયાન તમે દરેક સમસ્યાઓમાંથી મુક્ત થશો. આ દરમિયાન તમારા પ્રેમ સંબંધમાં મજબૂતી આવશે. તમે પ્રેમ મેળવવા અને લગ્ન કરવા સક્ષમ થઈ શકો છો. જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. તમને કરિયરમાં આગળ વધવાની નવી તક મળશે. આ દરમિયાન તમારા અટવાયેલા નાણાની પ્રાપ્તિ થઈ શકે છે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો) 


 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube